શોધખોળ કરો

Ramiz Raja: ...તો અમારા વગર જ વર્લ્ડકપ રમવો પડશે, રમીઝ રાજાની ભારતને ખુલ્લી ધમકી

વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે જેમાં એશિયાની ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.

Pakistan Cricket Team: ભારત અને પાકિસ્તાનના સંબંધો સરહદથી લઈને ક્રિકેટના મેદાન સુધી ખરાબ ચાલી રહ્યાં છે. તેની અસર આગમી સમયમાં યોજાનારા ક્રિકેટના બે મહત્વના કપ પર પડી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષે તો અત્યારથી જ ભારતને ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. 

વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે જેમાં એશિયાની ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે BCCI સેક્રેટરી જય શાહ પહેલા જ કહી ચુક્યા છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. જોકે, એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેણે બીસીસીઆઈને ધમકીભર્યા અંદાજમાં પડકાર ફેંક્યો છે.

રમીઝ રાજાએ આપી લુખ્ખી ધમકી

પાકિસ્તાન તરફથી અગાઉ પણ કહેવામાં આવ્યું ચુક્યું છે કે, જો ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ ભારતમાં યોજાનાર ODIવર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. હવે ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ આ મુદ્દાને હવા આપી છે. તેમણે કહ્યું હતું કે, જો ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો ભારતે પણ અમારા વિના આવતા વર્ષે વર્લ્ડકપ રમવો પડશે. અમે આ મામલે આક્રમક વલણ યથાવત રાખીશું.

અમે ભારતને 2 વાર હરાવ્યું : રાજા

રમીઝ રાજાએ ઉમેર્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ આવતા વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડકપમાં નહીં રમે તો આ ટૂર્નામેન્ટ જોશે જ કોણ. ગયા વર્ષે અમે વર્લ્ડકપમાં ભારતને હરાવ્યું હતું. અમે એશિયા કપમાં પણ ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાની ટીમે બિલિયન ડૉલર ઈકોનોમી ટીમને બે વખત હરાવ્યું છે.

રમીઝ રાજાના શેખચલ્લીના સપના

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ કહ્યું હતું કે, અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આપણે પાકિસ્તાન ક્રિકેટની અર્થવ્યવસ્થાને સુધારવાની જરૂર છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે સારું રમીશું. T20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પાકિસ્તાનને ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા એશિયાકપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું.

વર્લ્ડ કપમાં હાર બાદ BCCI ફુલ એક્શન મોડમાં, હવે ટીમ ઈન્ડિયામાંથી આ દિગ્ગજને બહારનો રસ્તો બતાવ્યો!

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ તેને 53 વર્ષીય અપટનની માનસિક સ્થિતિ માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો. 53 વર્ષીય અપટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈમાં જોડાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget