શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજસ્થાન રોયલ્સના CEOએ કહ્યુ- ફક્ત ભારતીય ખેલાડીઓ સાથે રમાડવામાં આવે IPL
કોરોના મહામારીને કારણે આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે આઇપીએલને રદ કરવામાં આવી શકે છે.
![રાજસ્થાન રોયલ્સના CEOએ કહ્યુ- ફક્ત ભારતીય ખેલાડીઓ સાથે રમાડવામાં આવે IPL Rajasthan Royals open to shortened IPL among Indian players only: franchise CEO રાજસ્થાન રોયલ્સના CEOએ કહ્યુ- ફક્ત ભારતીય ખેલાડીઓ સાથે રમાડવામાં આવે IPL](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/02012506/14.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગ આ વર્ષે રમાશે કે નહી તેને લઇને અનેક શંકાઓ છે. આ વચ્ચે રાજસ્થાન રોયલ્સના સીઇઓ રંજીત બરઠાકુરે કહ્યું કે, ફક્ત ભારતીય ક્રિકેટરો સાથે અને આઇપીએલમાં ઓછી મેચ કરીને રમાડવામાં આવશે તો તે પણ ઘણું ગણાશે. કોરોના મહામારીને કારણે આઇપીએલને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે આઇપીએલને રદ કરવામાં આવી શકે છે.
આઇપીએલની 13મી સીઝનને લઇને બીસીસીઆઇએ અત્યાર સુધી કોઇ નિર્ણય લીધો નથી. વાસ્તવમાં આઇપીએલની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી પરંતુ કોરોનાના કારણે 15 એપ્રિલ સુધી તેને સ્થગિત કરાઇ હતી. બરઠાકુરે પીટીઆઇને કહ્યું કે, અમે આઇપીએલને સિમિત કરવા અને ફક્ત ભારતીય ખેલાડીઓ સાથે રમાડવા પણ તૈયાર છીએ. જોકે, બીસીસીઆઇ પાસે દ્ધિપક્ષીય સીરિઝ રદ કરીને વર્ષના અંતમાં આઇપીએલ રમાડવાનો ઓપ્શન છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)