શોધખોળ કરો

IND vs WI Playing 11: ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરશે યશસ્વી, રોહિતે જણાવ્યું પ્લેઈંગ ઈલેવનમાં કોને-કોને સ્થાન મળશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બુધવારથી ડોમિનિકામાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા અગાઉ પ્લેઈંગ ઈલેવન વિશે ખુલાસો કરી ચૂક્યો છે.

Yashasvi Jaiswal Debut India vs West Indies Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બુધવારથી ડોમિનિકામાં રમાશે. કેપ્ટન રોહિત શર્મા અગાઉ પ્લેઈંગ ઈલેવન વિશે ખુલાસો કરી ચૂક્યો છે. રોહિતે કહ્યું કે યશસ્વી જયસ્વાલ ડેબ્યૂ મેચ રમશે. યશસ્વીનો ડોમેસ્ટિક મેચોમાં સારો રેકોર્ડ છે.  શુભમન ગીલની બેટિંગ ક્રમ વિશે વાત કરી. રોહિતે કહ્યું કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે સ્પિન બોલરોને રાખવામાં આવશે.


રોહિતે ભારતની પ્લેઈંગ ઈલેવન પર પ્રતિક્રિયા આપી. Revsportzના એક સમાચાર અનુસાર, રોહિતે કહ્યું કે યશસ્વી જયસ્વાલ ડોમિનિકામાં ભારત માટે ડેબ્યૂ મેચ રમશે. શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં બે સ્પિન બોલરો સાથે ઉતરશે. તેથી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. આ બંને ઓલરાઉન્ડર ખેલાડી છે અને ઘણા પ્રસંગોએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.

યશસ્વીનું ઘરેલુ મેચોમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 26 ઇનિંગ્સમાં 1845 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં બેવડી સદી ફટકારી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 265 રન છે. યશસ્વીએ 9 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેણે 32 લિસ્ટ A મેચમાં 1511 રન બનાવ્યા છે. તેણે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. યશસ્વીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 57 T20 મેચમાં 1578 રન બનાવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે લાંબા સમય બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝના ડોમિનિકામાં ટેસ્ટ મેચ રમાશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતે ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમી હતી. આમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સારો દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયા ફરી એકવાર યશસ્વી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.  


રોહિત શર્માએ ડોમિનિકા ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, ગિલ નંબર 3 પર રમશે. ગિલ પોતે નંબર 3 પર રમવા માંગે છે. તેણે આવીને રાહુલ ભાઈ (કોચ રાહુલ દ્રવિડ) સાથે ચર્ચા કરી. તેણે કહ્યું છે કે મેં તમામ ક્રિકેટ નંબર 3 અને 4 પર રમી છે. જો હું નંબર 3 પર બેટિંગ કરીશ તો હું ટીમ માટે વધુ સારું કરી શકીશ.  કેપ્ટન રોહિતે શુભમનના બેટિંગ નંબર વિશે કહ્યું, "અમારા માટે એ પણ સારું છે કે લેફ્ટ અને રાઈટ હેન્ડના ખેલાડીઓનું કોમ્બિનેશન બનશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget