શોધખોળ કરો

Team India Plan: રોહિત શર્માની આ ફોર્મેટમાંથી વિદાય નક્કી, મોટા બદલાવના મૂડમાં  BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે.

Team India Nexr Year Plan: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે. આ મહિનાની 21 તારીખે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો નક્કી કરવામાં આવશે. ભારતે 2013 પછી આઈસીસી સ્તરની કોઈ ટ્રોફી જીતી નથી. છેલ્લા બે વર્ષમાં બે T20 વર્લ્ડ કપ થયા પરંતુ ટીમ ઈન્ડિયા ટાઈટલથી દૂર રહી. હવે વર્ષ 2023માં ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં, BCCI ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.

રોહિતને ટી-20માંથી રજા આપવામાં આવશે

ભારતીય ટીમમાં સૌથી મોટો ફેરફાર રોહિત શર્માની T20 ટીમમાંથી કેપ્ટન તરીકેની વિદાય છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા પણ આ વાત સાથે સહમત છે. હાલમાં જ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે રોહિત સાથે સતત વાત થઈ રહી છે. તે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો આ વાત સાચી હશે તો હાર્દિક આવતા વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય રાહુલ દ્રવિડને ટી20 કોચ તરીકે પણ ઉતારવામાં આવી શકે છે.

દરેક ફોર્મેટ માટે અલગ ટીમ

દૈનિક જાગરણના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાને નવા વર્ષની આસપાસ નવી પસંદગી સમિતિ મળી શકે છે. આ પછી, દરેક ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની જવાબદારી નવી પસંદગી સમિતિની રહેશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયામાં ટૂંક સમયમાં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટનની નિમણૂક કરવાનો મૂડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ભૂમિકા શું હશે ? તે નવી પસંદગી સમિતિના આવ્યા બાદ સ્પષ્ટ થશે.

ભારતે 2013 થી ICC ટ્રોફી જીતી નથી

ભારતે છેલ્લી વખત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ICC લેવલની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. ત્યારપછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પહેલા ભારતે ધોનીની કપ્તાનીમાં 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. આગામી બે વર્ષમાં ભારતને 2 વર્લ્ડ કપ રમવાના છે, જેને ટીમ ઈન્ડિયા જીતવા ઈચ્છશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
Kuldeep: કુલદીપ યાદવના ગ્રાન્ડ રિસેપ્શનમાં પહોંચશે હસ્તીઓ, CM યોગી સહિત ક્રિકેટ સ્ટાર્સ થશે સામેલ
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
CSK માં જોડાવા બદલ સંજુ સેમસનને કેટલી રકમ મળી? આંકડો જાણીને તમે પણ ચોંકી જશો!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
શું ગૌતમ ગંભીરના કારણે રોહિત-વિરાટે ટેસ્ટમાંથી લીધી નિવૃત્તિ? કોચે આખરે મૌન તોડ્યું!
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Ali Larijani Killed: ઈરાનના સિક્યોરિટી ચીફ અલી લારિઝાનું હુમલામાં મોત, તેહરાને કરી પુષ્ટી
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
WhatsApp Guest Chats: એકાઉન્ટ વિના કરી શકશો વોટ્સએપ પર ચેટિંગ, નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
Embed widget