શોધખોળ કરો

Team India Plan: રોહિત શર્માની આ ફોર્મેટમાંથી વિદાય નક્કી, મોટા બદલાવના મૂડમાં  BCCI

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે.

Team India Nexr Year Plan: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આવનારા સમય માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની તૈયારીઓ કરી લીધી છે. આ ફેરફાર નવા વર્ષથી જોવા મળશે. આ મહિનાની 21 તારીખે BCCIની એપેક્સ કાઉન્સિલની બેઠક યોજાશે. જેમાં ભારતીય ટીમમાં મહત્વના ફેરફારો નક્કી કરવામાં આવશે. ભારતે 2013 પછી આઈસીસી સ્તરની કોઈ ટ્રોફી જીતી નથી. છેલ્લા બે વર્ષમાં બે T20 વર્લ્ડ કપ થયા પરંતુ ટીમ ઈન્ડિયા ટાઈટલથી દૂર રહી. હવે વર્ષ 2023માં ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં, BCCI ટીમમાં ઘણા મોટા ફેરફારો કરવાના મૂડમાં છે.

રોહિતને ટી-20માંથી રજા આપવામાં આવશે

ભારતીય ટીમમાં સૌથી મોટો ફેરફાર રોહિત શર્માની T20 ટીમમાંથી કેપ્ટન તરીકેની વિદાય છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા પણ આ વાત સાથે સહમત છે. હાલમાં જ બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે રોહિત સાથે સતત વાત થઈ રહી છે. તે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો આ વાત સાચી હશે તો હાર્દિક આવતા વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય રાહુલ દ્રવિડને ટી20 કોચ તરીકે પણ ઉતારવામાં આવી શકે છે.

દરેક ફોર્મેટ માટે અલગ ટીમ

દૈનિક જાગરણના અહેવાલ મુજબ ટીમ ઈન્ડિયાને નવા વર્ષની આસપાસ નવી પસંદગી સમિતિ મળી શકે છે. આ પછી, દરેક ફોર્મેટ માટે અલગ ટીમ તૈયાર કરવાની જવાબદારી નવી પસંદગી સમિતિની રહેશે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયામાં ટૂંક સમયમાં ક્રાંતિકારી બદલાવ જોવા મળશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોર્ડે દરેક ફોર્મેટમાં અલગ કેપ્ટનની નિમણૂક કરવાનો મૂડ બનાવી લીધો છે. આવી સ્થિતિમાં રોહિત શર્માની ભૂમિકા શું હશે ? તે નવી પસંદગી સમિતિના આવ્યા બાદ સ્પષ્ટ થશે.

ભારતે 2013 થી ICC ટ્રોફી જીતી નથી

ભારતે છેલ્લી વખત વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમ ઈન્ડિયા ICC લેવલની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહી છે. ત્યારપછી ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ પહેલા ભારતે ધોનીની કપ્તાનીમાં 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. આગામી બે વર્ષમાં ભારતને 2 વર્લ્ડ કપ રમવાના છે, જેને ટીમ ઈન્ડિયા જીતવા ઈચ્છશે.  

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget