શોધખોળ કરો

IND vs AUS: સંજૂ સેમસનને ટીમ ઈન્ડિયામાં ન મળ્યું સ્થાન, શું વાપસીના રસ્તાઓ થયા બંધ? 

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ફરી નિરાશ થયો છે.

IND vs AUS, Sanju Samson: ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ફરી નિરાશ થયો છે. સંજુ સેમસનને ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો નથી. જોકે, હવે સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે સંજુ સેમસનના કમબેકના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. શું હવે સંજુ સેમસન ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે ? જોકે, તાજેતરમાં એશિયા કપમાં સંજુ સેમસન ટીમ ઈન્ડિયાનો રિઝર્વ વિકેટકીપર હતો. પરંતુ કેએલ રાહુલની વાપસી બાદ સંજુ સેમસનની આશા પર પાણી ફરી વળ્યું હતું.

તો શું સંજુ સેમસન હવે વાપસી કરી શકશે ?

જો કે હવે ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ ટીમમાં વિકેટકીપર તરીકે ઈશાન કિશન અને કેએલ રાહુલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પહેલા એશિયા કપમાં ઈશાન કિશન અને કેએલ રાહુલે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. ઇશાન કિશને પાકિસ્તાન સામેની લીગ મેચમાં નિર્ણાયક સમયે શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી કેએલ રાહુલે પાકિસ્તાન સામે સુપર-4 રાઉન્ડની મેચમાં અણનમ સદી ફટકારી હતી. વાસ્તવમાં ઈશાન કિશન અને કેએલ રાહુલના પ્રદર્શનને જોતા સંજુ સેમસન માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી આસાન નહીં હોય.

સંજુ સેમસનની કરિયર આવી રહી છે

જો સંજુ સેમસનના વનડે કરિયર પર નજર કરીએ તો આ વિકેટકીપર બેટ્સમેને ભારતીય ટીમ માટે 13 મેચ રમી છે. સંજુ સેમસને આ 13 ODI મેચોમાં 390 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, સંજુ સેમસનની સરેરાશ 55.71 હતી જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 104.0 હતો. જો કે, અત્યાર સુધી સંજુ સેમસન ODI ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી, પરંતુ આ ખેલાડીએ ત્રણ વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. આ સિવાય સંજુ સેમસને 24 T20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે IPLની 152 મેચ રમી છે. વાસ્તવમાં, સંજુ સેમસને IPL મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મેચોમાં સંજુ સેમસન IPLની સિદ્ધિનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે સીરિઝ કાર્યક્રમ

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. પ્રથમ ODI 22 સપ્ટેમ્બરે રમાશે જ્યારે બીજી ODI 24 સપ્ટેમ્બરે રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 27 સપ્ટેમ્બરે રમાશે.

પ્રથમ બે વનડે માટેની ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા , પ્રસિદ્ધ કૃષ્ણ , આર અશ્વિન , વોશિંગ્ટન સુંદર.

ત્રીજી વનડે માટેની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે RCB અને GT વચ્ચે ક્વોલિફાયર-1, જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ

વિડિઓઝ

Rajkot News: મેડિકેર હોસ્પિટલની ભયાનક અને ઘોર બેદરકારી, તાવની સારવારમાં મહિલાની જિંદગી કરી બરબાદ
Gujarat Corporations Mayor Announcement : કઈ મનપામાં કોણ બન્યું મેયર ?
Babesia virus : ગીરના જંગલમાં એક સપ્તાહમાં પાંચ સિંહના મોતથી વન વિભાગ થયું દોડતું.
Ahmedabad Mayor News : અમદાવાદના નવા મેયર અને ડેપ્યૂટી મેયરની જાહેરાત
CNG Price Hike : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને: જાણો કયા રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ₹100થી સસ્તું છે અને શા માટે?
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
કર્ણાટકમાં બદલાશે મુખ્યમંત્રી? દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર,  રાજકીય માહોલ ગરમાયો 
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર, તેને વધારી 3.83 કરવાની માંગ, પગારમાં થશે ધરખમ વધારો!
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 364 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળશે,ચેક કરો કેલક્યુલેશન 
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Embed widget