શોધખોળ કરો

IND vs AUS 1st Test: શ્રેયસ અય્યરનું એકદમ ફિટ થવું મુશ્કેલ,  સૂર્યકુમારને મળી શકે છે ટેસ્ટ ડેબ્યૂની તક

શ્રેયસ અય્યરને પીઠની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ 2-3 ટેસ્ટ રમવાની કોઈ શક્યતા નથી.

Suryakumar Yadav Test Debut: શ્રેયસ અય્યરને પીઠની ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. હવે ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ 2-3 ટેસ્ટ રમવાની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે જ સમયે, સરફરાઝ ખાન વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે હજુ વધુ રાહ જોવી પડી શકે છે.


ઈનસાઈડ સ્પોર્ટ્સના રિપોર્ટમાં બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'શ્રેયસ અય્યર આગામી થોડા દિવસોમાં NCAમાં આવશે અને તેનું રિહેબ શરૂ કરશે. અમે અત્યાર સુધી જે જાણીએ છીએ તે એ છે કે તેને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2-3 ટેસ્ટમાં રમવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે અમારી પાસે હજુ લાંબો સમય છે, આવી સ્થિતિમાં, જો તે જલ્દી સ્વસ્થ થઈ જાય છે, તો ચોક્કસપણે તે પ્લેઇંગ-11નો ભાગ બનશે.

સૂર્યકુમાર યાદવને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે

બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે, 'ઋષભ પંત આ શ્રેણીમાં ઉપલબ્ધ નથી. શ્રેયસ અય્યર પણ બહાર રહે તો સૂર્યકુમાર યાદવનો નંબર આવી શકે છે. આ જ કારણ છે કે તેને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. જો કે હાલમાં શ્રેયસની રિકવરી પર ફોકસ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

સરફરાઝને સ્થાન નહીં મળે?

બીસીસીઆઈના સૂત્રનું કહેવું છે કે, 'સરફરાઝે તેની તકની રાહ જોવી પડશે. તેણે ઘરેલું ક્રિકેટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે પરંતુ તે ભારત A માટે સમાન રીતે રમી શક્યો નથી. તેણે ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવતા પહેલા ભારત-એ માટે વધુ સારું રમવું પડશે. જો તે આંતરરાષ્ટ્રીય બોલરોની સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવવામાં સફળ રહેશે તો તે ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર હશે.  

ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ રાયપુર વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ રીતે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી પર કબ્જો કરી લીધો છે. બીજી વનડેમાં ભારતીય ટીમને જીતવા માટે 109 રન બનાવવાના હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ બનાવી લીધી છે.

ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલે 40 રન બનાવ્યા હતા જ્યારે ઈશાન કિશન 08 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 11 રન બનાવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget