શોધખોળ કરો

કોહલીને વન-ડે ટીમના કેપ્ટનપદેથી કાઢી મૂકવાનો નિર્ણય કોણે લીધો ? BCCI પ્રમુખ ગાંગુલીએ કર્યો મોટો ધડાકો

ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે.

નવી, દિલ્લીઃ ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાતાં કોહલીના ચાહકો નારાજ છે. આ નિર્ણયને કારણે બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કોહલીના  કેટલાક ક્રિકેટ ચાહકોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુલીએ આ મુદ્દે ખુલાસો કરતાં કહ્યું છે કે, કોહલીને વન ડે કેપ્ટન તરીકે દૂર કરીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાનો નિર્ણય પોતાનો કે બીજા કોઈના એકલાનો નથી પણ રાષ્ટ્રીય પસંદગીકારો અને બીસીસીઆઇએ ભેગા મળીને લીધો છે.

કોહલીએ ટી-20 ટીમની કેપ્ટન્સી સ્વેચ્છાએ છોડી દીધી હતી. એ પછી તેને વન ડે કેપ્ટન તરીકે પણ દૂર કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી. આ અટકળ સાચી પડી છે અને ભારતીય વન ડે ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીની હકાલપટ્ટી કરાઈ છે. એક મીડિયા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે, બીસીસીઆઇએ કોહલીને સ્વેચ્છાએ વન ડે કેપ્ટન્સી છોડી દેવા માટે જણાવી દીધું હતુ અને આ માટે તેને બે દિવસનો સમય પણ આપવામાં આવ્યો હતો. જો કે કોહલી વન ડે કેપ્ટન્સી છોડવા તૈયાર નહતો અને આ જ કારણે બીસીસીઆઇએ રોહિત શર્માને વન ડે ટીમનો કેપ્ટન જાહેર કરીને કોહલીને રવાના કરી દીધો હતો.

છેલ્લા કેટલાક સમયથી બીસીસીઆઇ અને કોહલીના સંબંધો બગડ્યા છે.  કોહલીએ ટી-20 વર્લ્ડ કપ પૂરો થાય એ સાથે તેની સાથે ટી-20ના કેપ્ટનપદેથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી હતી. કોહલીના માનીતા એવા કોચ રવિ શાસ્ત્રીની ટર્મ પણ ટી-20૦ વર્લ્ડ કપ સાથે પૂર્ણ થઈ હતી. બીસીસીઆઈએ ટી-૨૦ વર્લ્ડ કપની ટીમના મેન્ટર તરીકે ધોનીનું નામ જાહેર કરીને આશ્ચર્ય સર્જ્યું હતું. જો કે ટી-૨20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે નાલેશીભર્યો પરાજય થયો હતો અને આખરે ટીમ ઈન્ડિયા સુપર-10માંથી જ બહાર ફેંકાઈ હતી.

હવે 2023માં વન ડેનો વર્લ્ડ કપ ભારતની ભૂમિ પર રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં કેપ્ટન્સી કરવાની કોહલીની ઈચ્છા હતી પણ બીસીસીઆઇ અને પસંદગી સમિતિએ ટીમ ઈન્ડિયા માટે અલગ આયોજન કરી રાખ્યું હતુ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget