શોધખોળ કરો

Asia Cup 2023 : એશિયા કપ પર કોરોના વાયરસને લઈ ખતરો,  શ્રીલંકાની ટીમના બે ખેલાડી કોરોના સંક્રમિત 

એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.

એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ એશિયા કપ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. એશિયા કપ પર સર્જાઈ રહેલા સંકટનું કારણ કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ બન્યો છે.  એશિયા કપની શરૂઆત પહેલા જ યજમાન શ્રીલંકાની ટીમ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે. શ્રીલંકન ક્રિકેટ ટીમના બે ખેલાડીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાના ખેલાડી અવિષ્કા ફર્નાન્ડો અને વિકેટકીપર કુસલા પરેરાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ખેલાડીઓ એશિયા કપ માટે ટીમનો ભાગ બનશે કે કેમ તે અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

આ પહેલા પણ શ્રીલંકાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર હસરંગાનું એશિયા કપમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત છે. હસરંગા તાજેતરમાં રમાયેલી લંકા પ્રીમિયર લીગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, ઈજા હોવા છતાં હસરંગાએ રમવાનું ચાલુ રાખ્યું અને શાનદાર પ્રદર્શન કર્યું. આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા ઉપરાંત હસરંગા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. પરંતુ હવે હસરંગાની ઈજા ગંભીર બની ગઈ છે. હસરંગાની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની માહિતી એક-બે દિવસમાં મળી શકે છે.

શ્રીલંકાને પણ છેલ્લી ઘડીએ યજમાનીનો અધિકાર મળ્યો હતો. આ વર્ષે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. પરંતુ ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાનમાં ટીમ મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી હોસ્ટિંગને લઈને વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહ્યો. જોકે, બાદમાં પાકિસ્તાનની સાથે શ્રીલંકાને યજમાનપદનો અધિકાર આપવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની પાંચ મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની મેચો શ્રીલંકામાં યોજાવાની છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનની ધરતી પર એક પણ મેચ નહીં રમે. ફાઈનલ મેચ પણ શ્રીલંકામાં રમાવાની છે.

શ્રીલંકાને એશિયા કપમાં 6 દિવસ બાદ પ્રથમ મેચ રમવાની છે. યજમાન શ્રીલંકા 31 ઓગસ્ટે બાંગ્લાદેશ (SL vs BAN) સામે ટકરાશે.  આ વખતે આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર રમાશે. પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમાશે, જ્યારે શ્રીલંકામાં ફાઈનલ સહિત કુલ 9 મેચો રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ફર્નાન્ડો અને કુસલ પરેરા કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની વનડે સીરીઝ પહેલા ફર્નાન્ડો કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. કુસલ પરેરા પણ 2 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા કોરોના સંક્રમણનો શિકાર બન્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget