શોધખોળ કરો

વર્લ્ડ ચેમ્પિયન સૂર્યાનું પત્તું કપાશે? શ્રેયસ ઐયર બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, જાણો ખેલ!

2026નો T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને કારણે BCCI હવે 2028ના વર્લ્ડ કપ માટે શ્રેયસ ઐયરને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ, કેપ્ટનશીપ અને ટીમમાં સ્થાન જોખમમાં.
  • શ્રેયસ ઐયર IPL માં શાનદાર કેપ્ટનશીપ, T20 ટીમ માટે સંભવિત વિકલ્પ.
  • BCCI 2028 T20 વર્લ્ડ કપ માટે નવી રણનીતિ ઘડી રહ્યું છે.
  • ઐયરનો IPL કેપ્ટનશીપ રેકોર્ડ પ્રભાવશાળી, KKR અને પંજાબને સફળતા અપાવી.

Suryakumar Yadav: 2026 ના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર સૂર્યકુમાર યાદવ પાસેથી હવે કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. છેલ્લા ઘણા મહિનાઓથી સતત ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યાની જગ્યાએ, IPL માં પોતાની શાનદાર કેપ્ટનશીપથી ધમાલ મચાવનાર શ્રેયસ ઐયરને T20 ટીમનો નવો કેપ્ટન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. BCCI ની નજર હવે 2028 ના T20 વર્લ્ડ કપ પર છે અને તે માટે પસંદગીકારોએ અત્યારથી જ નવી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, પસંદગી સમિતિ 2028 ના T20 વર્લ્ડ કપના પ્લાનિંગમાંથી સૂર્યકુમાર યાદવને બહાર કરી શકે છે. સૂર્યાનું બેટ લાંબા સમયથી શાંત છે, જેના કારણે માત્ર કેપ્ટનશીપ જ નહીં, પરંતુ ટીમમાં તેનું સ્થાન પણ જોખમમાં મુકાઈ ગયું છે. બીજી તરફ, શ્રેયસ ઐયર IPL 2026 માં પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે અદભુત પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, BCCI ના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઐયરે છેલ્લે 2023 માં T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી અને હાલ તે ટીમનો હિસ્સો પણ નથી. આવી સ્થિતિમાં તેને સીધો જ પાછો લાવીને કેપ્ટનશીપ સોંપવી એ એક મોટો નિર્ણય સાબિત થશે. હાલમાં બોર્ડનું પૂરું ધ્યાન 2027 ના વનડે વર્લ્ડ કપ પર કેન્દ્રિત છે, તેથી પસંદગીકારો પાસે T20 ની કેપ્ટનશીપ વિશે શાંતિથી વિચારવા માટે પૂરતો સમય છે.

જો આપણે ઐયરના કેપ્ટનશીપના અનુભવની વાત કરીએ, તો તેનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. 2018 માં તેણે દિલ્હી ડેરડેવિલ્સની કમાન સંભાળી હતી અને 2020 માં પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. ત્યારબાદ 2022 માં તે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માં જોડાયો અને 2024 માં પોતાની શાનદાર કેપ્ટનશીપ હેઠળ KKR ને ટ્રોફી પણ જીતાડી.

હવે IPL 2026 માં તેણે પંજાબ કિંગ્સનું નસીબ પણ બદલી નાખ્યું છે. 2014 પછી ક્યારેય ફાઇનલમાં ન પહોંચેલી પંજાબની ટીમ ઐયરના ઉત્કૃષ્ટ નેતૃત્વમાં 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. એટલું જ નહીં, વર્તમાન સિઝનમાં પંજાબ એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી અજેય રહી છે અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર બિરાજમાન છે. આ જ કારણોસર શ્રેયસ ઐયર હવે ટીમ ઈન્ડિયાના આગામી T20 કેપ્ટન તરીકે ઉભરી રહ્યો છે.

Frequently Asked Questions

શું સૂર્યકુમાર યાદવ પાસેથી T20 ટીમની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે?

હા, છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યકુમાર યાદવ પાસેથી T20 ટીમની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. BCCI 2028 T20 વર્લ્ડ કપ માટે નવી રણનીતિ ઘડી રહ્યું છે.

શ્રેયસ ઐયરને T20 ટીમનો નવો કેપ્ટન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે?

હા, IPL માં પોતાની શાનદાર કેપ્ટનશીપથી ધમાલ મચાવનાર શ્રેયસ ઐયરને T20 ટીમનો નવો કેપ્ટન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. BCCI 2028 T20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

શ્રેયસ ઐયરનો કેપ્ટનશીપનો રેકોર્ડ કેવો રહ્યો છે?

શ્રેયસ ઐયરનો કેપ્ટનશીપનો રેકોર્ડ પ્રભાવશાળી રહ્યો છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સને 2020 માં ફાઇનલ સુધી પહોંચાડી હતી અને KKR ને 2024 માં ટ્રોફી જીતાડી હતી.

IPL 2026 માં શ્રેયસ ઐયરનું પ્રદર્શન કેવું રહ્યું છે?

IPL 2026 માં શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે. તેની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે અને અત્યાર સુધી અજેય રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
Embed widget