શોધખોળ કરો

T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

ICC T20 World Cup: ટીમ ઈન્ડિયાના ચાહકો ઘણા ખેલાડીઓને પસંદ ન કરવાને કારણે નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી દર્શાવી હતી.

T20 World Cup, Team India Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની પસંદગી માટે 12 સપ્ટેમ્બર પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. પસંદગીકારોએ અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ પસંદ કરી છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ પાછા ફર્યા છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન અને કેએલ રાહુલ વાઇસ કેપ્ટન છે

15 સભ્યોની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

15 સભ્યોની ટીમ ઉપરાંત ચાર સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાં અનુભવી મોહમ્મદ શમી, દીપક ચહર, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈના નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાના ચાહકો ઘણા ખેલાડીઓને પસંદ ન કરવાને કારણે નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી દર્શાવી હતી.

આ પ્રબળ દાવેદાર ખેલાડીઓની ન થઈ પસંદગી


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

સંજુ સેમસનઃ આ યાદીમાં પહેલું નામ સંજુ સેમસનનું છે. ટીમ સિલેક્શન પહેલા એવી ચર્ચા હતી કે સેમસનને ચોક્કસ સ્થાન મળશે. રિષભ પંત ખરાબ ફોર્મમાં છે અને પસંદગી સમિતિ સેમસનને તક આપશે. જો કે, આવું બન્યું ન હતું. સેમસને આયર્લેન્ડ સામે 42 બોલમાં 77 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 30 અને 15 રનની ઇનિંગ રમી હતી. વિન્ડીઝ પ્રવાસ બાદ તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે IPL 2022માં 458 રન અને IPL 2021માં 484 રન બનાવ્યા હતા.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

ઈશાન કિશનઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ઈશાન કિશનની વર્લ્ડ કપ 2021માં પસંદગી થઈ હતી. ત્યારે મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે તેનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે. જોકે, કિશનને ગયા વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચમાં રમવાની તક મળી હતી. જે બાદ ઈશાને IPL 2022માં 418 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ અને IPL વચ્ચે તેણે આંતરરાષ્ટ્રીય T20માં ત્રણ અડધી સદી ફટકારી હતી. આઈપીએલ બાદ તેને નિયમિત તકો ન મળી અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

મોહમ્મદ શમીઃ એશિયા કપમાંથી બહાર થયા બાદ તમામ ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યા હતા કે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવો જોઈએ. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે તેમને એશિયા કપની ટીમમાં હોવું જોઈતું હતું. શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ગઈ છે, પરંતુ તેને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો નથી. શમીની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. તે જ સમયે, તે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં જશે. જો 15 સભ્યોની ટીમમાંથી કોઈ ઈજાગ્રસ્ત થશે તો શમીને તક મળશે.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

દીપક ચહરઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈજાગ્રસ્ત દીપક ચહર આઈપીએલમાં રમી શક્યો નહોતો. જે બાદ તેને ટીમ ઈન્ડિયાની ઘણી સીરીઝમાંથી બહાર રહેવું પડ્યું હતું. ચહરે ગયા મહિને ઝિમ્બાબ્વેમાં પુનરાગમન કર્યું હતું. તેણે પોતાની બોલિંગથી આ સાબિત કર્યું, ભલે તે છ મહિનાથી ક્રિકેટથી દૂર છે, પરંતુ સ્વિંગ કરવાનું ભૂલ્યો નહીં. તેને એશિયા કપ માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને અવેશ ખાન ઘાયલ થયા બાદ તેને અફઘાનિસ્તાન સામેની મેચમાં રમવાની તક મળી હતી. ચાહકોને આશા હતી કે ચહરને 15 સભ્યોની ટીમમાં રાખવામાં આવશે, પરંતુ તેને પણ શમીની જેમ સ્ટેન્ડબાય ખેલાડી બનાવવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર કોણ ઉભુ કરે છે જીવનું જોખમ?Hun To Bolish : હું તો બોલીશ : ખાદી અને ખાખી વચ્ચે વિવાદો કેમ?Anand Child Found : ‘હવે ઘરે પાછું નથી જવું , બીજી મમ્મી-પપ્પા મારે છે’, આણંદથી મળ્યું બાળકSurat Accident : સુરતમાં નબીરાએ બેફામ કાર ચલાવી 2 ભાઈનો લીધો ભોગ | નબીરો કેમેરા સામે રડવા લાગ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
ઇન્કમટેક્સ વિભાગ કરદાતાઓને કેમ મોકલી રહ્યું છે SMS અને e-mail, જાણો શું છે મામલો?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Happy Teddy Day 2025: વેલેન્ટાઇન વીકમાં કેમ આપવામાં આવે છે ટેડી, જાણો કારણ?
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
Manipur Political Crisis:'બિરેન સિંહ એક કઠપૂતળી છે', જયરામ રમેશે મણિપુરના સીએમના રાજીનામાનો સંપૂર્ણ ઘટનાક્રમ સમજાવ્યો
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
નડિયાદમાં લઠ્ઠાકાંડની આશંકાઃ દેશી દારૂના કારણે ત્રણ જિંદગી હોમાઈ, કોંગ્રેસનો દાવો - નડિયાદ દારૂનું હબ
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
મણિપુરના રાજકારણમાં ભૂકંપ: મુખ્યમંત્રી એન. બિરેન સિંહે આપ્યું રાજીનામું
Embed widget