શોધખોળ કરો

T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

ICC T20 World Cup: ટીમ ઈન્ડિયાના ચાહકો ઘણા ખેલાડીઓને પસંદ ન કરવાને કારણે નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી દર્શાવી હતી.

T20 World Cup, Team India Squad: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની પસંદગી માટે 12 સપ્ટેમ્બર પસંદગી સમિતિની બેઠક યોજાઈ હતી. પસંદગીકારોએ અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ પસંદ કરી છે. જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ પાછા ફર્યા છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન અને કેએલ રાહુલ વાઇસ કેપ્ટન છે

15 સભ્યોની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટમેન), દિનેશ કાર્તિક (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

15 સભ્યોની ટીમ ઉપરાંત ચાર સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાં અનુભવી મોહમ્મદ શમી, દીપક ચહર, શ્રેયસ અય્યર અને રવિ બિશ્નોઈના નામ સામેલ છે. ટીમ ઈન્ડિયાના ચાહકો ઘણા ખેલાડીઓને પસંદ ન કરવાને કારણે નારાજ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી દર્શાવી હતી.

આ પ્રબળ દાવેદાર ખેલાડીઓની ન થઈ પસંદગી


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

સંજુ સેમસનઃ આ યાદીમાં પહેલું નામ સંજુ સેમસનનું છે. ટીમ સિલેક્શન પહેલા એવી ચર્ચા હતી કે સેમસનને ચોક્કસ સ્થાન મળશે. રિષભ પંત ખરાબ ફોર્મમાં છે અને પસંદગી સમિતિ સેમસનને તક આપશે. જો કે, આવું બન્યું ન હતું. સેમસને આયર્લેન્ડ સામે 42 બોલમાં 77 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 30 અને 15 રનની ઇનિંગ રમી હતી. વિન્ડીઝ પ્રવાસ બાદ તેને T20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે IPL 2022માં 458 રન અને IPL 2021માં 484 રન બનાવ્યા હતા.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

ઈશાન કિશનઃ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ઈશાન કિશનની વર્લ્ડ કપ 2021માં પસંદગી થઈ હતી. ત્યારે મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે તેનો ઉપયોગ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે. જોકે, કિશનને ગયા વર્લ્ડ કપમાં માત્ર એક જ મેચમાં રમવાની તક મળી હતી. જે બાદ ઈશાને IPL 2022માં 418 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ અને IPL વચ્ચે તેણે આંતરરાષ્ટ્રીય T20માં ત્રણ અડધી સદી ફટકારી હતી. આઈપીએલ બાદ તેને નિયમિત તકો ન મળી અને તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

મોહમ્મદ શમીઃ એશિયા કપમાંથી બહાર થયા બાદ તમામ ક્રિકેટ એક્સપર્ટ કહી રહ્યા હતા કે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવો જોઈએ. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે તેમને એશિયા કપની ટીમમાં હોવું જોઈતું હતું. શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ ગઈ છે, પરંતુ તેને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો નથી. શમીની ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણે ટી20 શ્રેણી માટે પસંદગી કરવામાં આવી છે. તે જ સમયે, તે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં જશે. જો 15 સભ્યોની ટીમમાંથી કોઈ ઈજાગ્રસ્ત થશે તો શમીને તક મળશે.


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન

દીપક ચહરઃ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈજાગ્રસ્ત દીપક ચહર આઈપીએલમાં રમી શક્યો નહોતો. જે બાદ તેને ટીમ ઈન્ડિયાની ઘણી સીરીઝમાંથી બહાર રહેવું પડ્યું હતું. ચહરે ગયા મહિને ઝિમ્બાબ્વેમાં પુનરાગમન કર્યું હતું. તેણે પોતાની બોલિંગથી આ સાબિત કર્યું, ભલે તે છ મહિનાથી ક્રિકેટથી દૂર છે, પરંતુ સ્વિંગ કરવાનું ભૂલ્યો નહીં. તેને એશિયા કપ માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો અને અવેશ ખાન ઘાયલ થયા બાદ તેને અફઘાનિસ્તાન સામેની મેચમાં રમવાની તક મળી હતી. ચાહકોને આશા હતી કે ચહરને 15 સભ્યોની ટીમમાં રાખવામાં આવશે, પરંતુ તેને પણ શમીની જેમ સ્ટેન્ડબાય ખેલાડી બનાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોમનવેલ્થ ગેમ આપણા આંગણે
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપમાં ભારે કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ટકશે ટ્રમ્પનું તિકડમ?
Bhupendrasinh Zala:  મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Sardar Sarovar Dam : ઉપરવાસમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, ડેમ હાઈ એલર્ટ પર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહેજો: આ 5 દિવસ વરસાદ ત્રાટકશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પના 50% ટેરિફ પર મોદી સરકારની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું?
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
ગુજરાત લોકરક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર: 120.50 માર્ક્સે અટક્યું જનરલ પુરુષોનું કટ-ઓફ
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
તહેવાર ટાણે જ મોદી સરકારે ફેરિયાઓ, લારીવાળા અને નાના દુકાનદારોને આપી મોટી ભેટ, જાણો શું કરી મોટી જાહેરાત
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની દાવેદારીને આપી મંજૂરી, યજમાન શહેર બનશે અમદાવાદ
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
'બિઝનેસ ચાલુ રહેશે, પણ...', ટ્રમ્પના ટેરિફ પર RSS પ્રમુખ મોહન ભાગવતે આપી પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
શું તમે નોકરી બદલતાની સાથે જ PF ના પૈસા ઉપાડી લો છો, જાણો તેનાથી કેટલું થાય છે નુકસાન?
Embed widget