શોધખોળ કરો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Team India: ભારતીય ટીમના ખેલાડીઓએ સોમવારે ન્યૂયોર્ક માટે રવાના થવાનું હતું, પછી ન્યૂયોર્કથી ભારતીય ખેલાડીઓએ કનેક્ટિંગ ફ્લાઇટથી દુબઈ જવાનું હતું, પરંતુ હવે આ મુશ્કેલ લાગે છે.

Indian Cricket Team: ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ બારબાડોસમાં રમાઈ હતી. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ શુક્રવારે બારબાડોસ પહોંચી હતી, પરંતુ હવે મોટી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે બેરયલ વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ભારત પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. ભારતીય ટીમે બારબાડોસથી સોમવારે નીકળવાનું હતું, પરંતુ હવે બેરયલ વાવાઝોડાએ રસ્તો રોકી દીધો છે. આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ભારતીય ખેલાડીઓ સોમવારે બારબાડોસથી નીકળી શકશે.

પહેલાથી નક્કી કરેલા શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમના ખેલાડીઓએ સોમવારે ન્યૂયોર્ક માટે રવાના થવાનું હતું. ન્યૂયોર્કથી ભારતીય ખેલાડીઓએ કનેક્ટિંગ ફ્લાઇટથી દુબઈ જવાનું હતું, પરંતુ હવે બેરયલ વાવાઝોડાને કારણે આ લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બારબાડોસના વડાપ્રધાન મિયા મોટલેએ જાહેરમાં ઘોષણા કરી છે કે રવિવારે રાત્રે એરપોર્ટ બંધ રહેશે. બારબાડોસના એરપોર્ટથી ફ્લાઇટ્સની અવરજવર બંધ રહેશે.

જણાવી દઈએ કે શનિવારે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી. આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ રોહિત શર્મા સહિત ટોપ 3 બેટ્સમેન જલદી પેવેલિયન પરત ફર્યા. ભારતના 3 બેટ્સમેન 34 રનમાં પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે સારી ભાગીદારી થઈ. બહરહાલ, ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 176 રનનો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 169 રન બનાવી શકી.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે.

BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે  ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરીને ખુશ છે.

ટોપ સ્ટોરી

10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget