શોધખોળ કરો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

Team India: ભારતીય ટીમના ખેલાડીઓએ સોમવારે ન્યૂયોર્ક માટે રવાના થવાનું હતું, પછી ન્યૂયોર્કથી ભારતીય ખેલાડીઓએ કનેક્ટિંગ ફ્લાઇટથી દુબઈ જવાનું હતું, પરંતુ હવે આ મુશ્કેલ લાગે છે.

Indian Cricket Team: ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલ બારબાડોસમાં રમાઈ હતી. આ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ શુક્રવારે બારબાડોસ પહોંચી હતી, પરંતુ હવે મોટી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં, એવું માનવામાં આવી રહ્યું છે કે બેરયલ વાવાઝોડાને કારણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ભારત પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. ભારતીય ટીમે બારબાડોસથી સોમવારે નીકળવાનું હતું, પરંતુ હવે બેરયલ વાવાઝોડાએ રસ્તો રોકી દીધો છે. આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ભારતીય ખેલાડીઓ સોમવારે બારબાડોસથી નીકળી શકશે.

પહેલાથી નક્કી કરેલા શેડ્યૂલ મુજબ, ભારતીય ટીમના ખેલાડીઓએ સોમવારે ન્યૂયોર્ક માટે રવાના થવાનું હતું. ન્યૂયોર્કથી ભારતીય ખેલાડીઓએ કનેક્ટિંગ ફ્લાઇટથી દુબઈ જવાનું હતું, પરંતુ હવે બેરયલ વાવાઝોડાને કારણે આ લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બારબાડોસના વડાપ્રધાન મિયા મોટલેએ જાહેરમાં ઘોષણા કરી છે કે રવિવારે રાત્રે એરપોર્ટ બંધ રહેશે. બારબાડોસના એરપોર્ટથી ફ્લાઇટ્સની અવરજવર બંધ રહેશે.

જણાવી દઈએ કે શનિવારે ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટી20 વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી. આ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ રોહિત શર્મા સહિત ટોપ 3 બેટ્સમેન જલદી પેવેલિયન પરત ફર્યા. ભારતના 3 બેટ્સમેન 34 રનમાં પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. જોકે, ત્યારબાદ વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચે સારી ભાગીદારી થઈ. બહરહાલ, ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 176 રનનો સ્કોર બનાવ્યો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 169 રન બનાવી શકી.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે અને બીજી વખત ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 7 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમને લઈને મોટી જાહેરાત કરી છે. જય શાહે કહ્યું છે કે હવે ભારતીય ટીમને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપવામાં આવશે.

BCCI સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ કહ્યું કે  ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરીને ખુશ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
IND vs ENG: કરો યા મરો મુકાબલામાં કેમ નથી રમી રહ્યા હર્ષિત રાણા-વરુણ ચક્રવર્તી? BCCI એ જણાવ્યું કારણ 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ZIM vs BAN: ઝિમ્બાબ્વેનો વધુ એક ધમાકો, બાંગ્લાદેશને 13 રને હરાવીને સીરીઝ જીતી 
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન
IND vs ENG: શું વરસાદ બનશે વિલન? જાણો આજે ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ચોથી T20માં કેવું રહેશે બ્રિસ્ટલનું હવામાન

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget