શોધખોળ કરો
Advertisement
ડે-નાઇટ ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ આ ગુજરાતી ખેલાડીની થઇ શકે છે એન્ટ્રી, આવી હોઇ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન, જુઓ ટીમ.....
રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો
નવી દિલ્હીઃ આગામી 24 ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે, જેથી પિન્ક બૉલ ટેસ્ટ બન્ને ટીમો માટે ખાસ મહત્વની છે. બીજી ચેન્નાઇ ટેસ્ટ જીતીને ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે અને ઘરેલુ મેદાનનો પણ ટીમ ઇન્ડિયાને લાભ મળી શકે છે, જેથી માની શકાય કે વિનિંગ ઇલેવનમાં ટીમ ઇન્ડિયમાં કોઇ ફેરફાર ના થઇ શકે. પરંતુ રિપોર્ટ છે કે ડે-નાઇટ ટેસ્ટમાં એક ફેરફાર જરૂરથી થઇ શકે છે, જે પ્રમાણે કુલદીપ યાદવને બહાર બેસવાનો આવી શકે છે અને તેની જગ્યાએ ગુજરાતી ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને સામેલ કરાઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનુ ફાસ્ટ બૉલિંગ કૉમ્બિનેશન છેલ્લા થોડાક સમયમાં બદલાતુ રહે છે, કેમકે મોટા ભાગના પેસ બૉલર ઇજાના કારણે બહાર છે, જેમાં ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર સામેલ છે. આ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા.
રિપોર્ટ છે કે મોટેરાની પીચ બૉલરોને વધુ મદદરૂપ સાબિત થઇ શકે છે, જો આને માનવામાં આવે તો વિરાટ કોહલી કુલદીપ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહને રમાડી શકે છે. બુમરાહને બીજી ચેન્નાઇ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.
ડે-નાઇટ ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન.....
ભારતીય ટીમ-
રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, ઇશાન્ત શર્મા, જસપ્રીત બુમરાહ.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion