શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બાયૉ-બબલથી કંટાળ્યો કેપ્ટન કોહલી, ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને આપ્યુ મોટુ નિવેદન
ભારતીય ટીમ આઇપીએલ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે, એટલે કે એક બાયૉ બબલથી બીજામાં જવુ પડશે
![બાયૉ-બબલથી કંટાળ્યો કેપ્ટન કોહલી, ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને આપ્યુ મોટુ નિવેદન virat kohli saying about bio bubble and mental fatigue બાયૉ-બબલથી કંટાળ્યો કેપ્ટન કોહલી, ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને આપ્યુ મોટુ નિવેદન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/06200848/Kohli-06.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બાયૉ બબલ નિયમથી પરેશાન થઇ ગયો છે, કોહલીનુ માનવુ છે કે સતત બાયૉ બબલમાં રહેના ક્રિકેટરો માટે માનસિક રીતે કઠીન છે. તેને કહ્યું કોરોના મહામારીની વચ્ચે જૈવિક સુરક્ષિત માહોલમાં રમવા માટે કોઇપણ પ્રવાસની સમયમર્યાદા પર પણ ધ્યાન રાખવુ પડે. ભારતીય ટીમ આઇપીએલ બાદ તરત જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે, એટલે કે એક બાયૉ બબલથી બીજામાં જવુ પડશે.
કોહલીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની યુટ્યૂબ ચેનલ પર કહ્યું- આ સતત થઇ રહ્યું છે, અમારી પાસે બેસ્ટ ટીમ છે, તો તે એટલુ કઠીન નથી લાગી રહ્યું, બાયૉ બબલ રહી રહેલા બધા લોકો શાનદાર છે, માહોલ સારો છે. આ જ કારણે છે અમે સાથે રમવાનુ અને બાયૉ બબલમાં રહેવાની મજા લઇ રહ્યાં છીએ. કોહલીએ કહ્યું પરંતુ આ બધુ સતત થવુ બહુ કઠીન થઇ જાય છે.
આઇપીએલ રમી રહેલા ક્રિકેટરો ઓગસ્ટથી યુએઇમાં છે, આ પછી ભારતીય ટીમ સામેલ તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા રવાના થઇ જશે, એટલે બહારની દુનિયાથી લાંબા સમય સુધી દુર રહેવુ પડશે. કોહલીએ કહ્યું માનસિક થાક પર પણ ધ્યાન આપવુ પડશે, ટૂર્નામેન્ટે કે પ્રવાસ કેટલો લાંબો છે, અને આના કારણે ખેલાડીઓને માનસિક રીતે શું અસર પડશે વગેરે વગેરે. સતત બહાર રહેવુ, આ બધી વસ્તુઓ પર ગંભીરતાથી વિચાર કરવો પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)