![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs NZ: આજની મેચ વરસાદમા ધોવાઇ જશે ? કેવું છે લખનઉમાં આજે હવામાન, વાંચો રિપોર્ટ
આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે.
![IND vs NZ: આજની મેચ વરસાદમા ધોવાઇ જશે ? કેવું છે લખનઉમાં આજે હવામાન, વાંચો રિપોર્ટ weather preview: know today weather of lucknow city in between ind vs nz 2nd t20i IND vs NZ: આજની મેચ વરસાદમા ધોવાઇ જશે ? કેવું છે લખનઉમાં આજે હવામાન, વાંચો રિપોર્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/29/7fb4addd443962abe6e8bef57350b22f167496990745777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs New Zealand: ભારતીય ટીમ આજે ફરી એકવાર કીવીઓની સામે મેદાનમાં ઉતરશે. હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા માટે આજે કરો યા મરો મેચ લખનઉમાં રમાશે. ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય ટીમને પ્રથમ ટી20માં 21 રનોથી હાર આપી હતી. હવે આજની મેચ જો કીવી ટીમ જીતે છે, તો 11 વર્ષ બાદ કીવી ટીમ ભારતીય જમીન પર કોઇ ટી20 સીરીઝ જીતવામાં સફળ રહેશે.
લખનઉનમાં આજે વરસાદ પડશે ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 પહેલા હવામાન રિપોર્ટ સામે આવ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે લખનઉમાં મેચ દરમિયાન તાપમાન 13 થી 15 ડિગ્રી વચ્ચે રહેશે. મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે મેચ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. આજના હવામાનના હિસાબે 15 ડિગ્રી તાપમાન રહેશે જે એક ટી20 મેચ માટે અનુકુળ હવામાન છે.
ન્યૂઝીલેન્ડ ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ છે -
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ડેવોન કોનવે (52) અને ડેરીલ મિશેલ (59)ની અડધી સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવર સુધી 155 રન જ બનાવી શકી હતી. આ રીતે કિવી ટીમે આ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો નૉ બૉલ ફેંકવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 24 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ડાબોડી ફાસ્ટ બૉલરે 15 નૉ બૉલ ફેંક્યા છે. ગઇ ટી20 સીરીઝમાં તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરનો બેઝ મળ્યો હતો, હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.
અર્શદીપ સિંહે રાંચીમા શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20માં ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં નૉ બૉલથી શરૂઆત કરી. આ બૉલ પર તેને છગ્ગો પડ્યો. આગળના ફ્રી હીટ પર પણ તેને છગ્ગો પડ્યો. આ રીતે શરૂઆતના બે બૉલમાં જ તેને 19 રન આપી દીધા. તેને આખી ઓવરમાં કુલ 27 રન આપ્યા. આટલા બધા રન આપવાના કારણે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)