શોધખોળ કરો
Advertisement
અમેરિકન અશ્વેત નાગરિકની હત્યાને લઈ ક્રિસ ગેઇલે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ક્રિકેટમાં પણ થાય છે રંગભેદ
વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસે ગેઇલ થોડા દિવસો પહેલા પણ વિવાદમાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં હાલ રંગભેદને લઈ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમેરિકામાં અશ્વેત વ્યક્તિ જ્યોર્જ ફ્લોઇડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ક્રિસ ગેઇલે મોટું નિવેદન આપ્યું છે. ક્રિસે ગેલે સોમવારે કહ્યું, રંગભેદ માત્ર ફૂટબોલમાં જ નહીં ક્રિકેટમાં પણ છે.
તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, અશ્વેત લોકોની જિંદગી બીજા લોકોની જિંદગી જેટલું જ મહત્વ ધરાવે છે. હું સમગ્ર વિશ્વમાં ફર્યો છું અને રંગભેદની વાત સાંભળી છે. કારણકે હું અશ્વેત છું, વિશ્વાસ કરો. રંગભેદ માત્ર ફૂટબોલમાં જ નહીં ક્રિકેટમાં પણ છે. એટલે સુધી કે વિવિધ ટીમોમાં પણ અશ્વેત હોવાનો મને અનેક વખત અનુભવ થયો છે.
વેસ્ટ ઈન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસે ગેઇલ થોડા દિવસો પહેલા પણ વિવાદમાં આવ્યો હતો. તેણે પૂર્વ સાથી ખેલાડી રામનરેશ સરવનને લઈ આપેલા નિવેદનના કારણે વિવાદ થયો હતો. જોકે બાદમાં ગેઇલે તેના નિવેદનને લઈ માફી માંગી લીધી હતી.
માંચેસ્ટર યુનાઈટેડ અને ઈંગ્લેન્ડના ફૂટબોલ ખેલાડી માર્કસ રશફોર્ડે પણ ફ્લોઇડના મોત બાદ કહ્યું કે, આ સમાજ પહેલા કરતાં વધારે વહેંચાયેલો લાગે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement