શોધખોળ કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં જસપ્રીત બુમરાહ કેમ નથી રમી રહ્યો ? સામે આવ્યું કારણ  

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે.

Jasprit Bumrah:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે સીરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ  વગર ઉતરી છે. BCCIએ ટ્વિટ કરીને કહ્યું કે જસપ્રીત બુમરાહ પ્લેઈંગ ઈલેવનનો ભાગ કેમ નથી ? જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ સાથે ઈન્દોરમાં નથી પરંતુ તે તેના પરિવાર સાથે છે. ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને બ્રેક આપ્યો છે. આ કારણોસર તે ઈન્દોર ODIમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.

જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમાર ટીમમાં સામેલ થયો છે

જસપ્રીત બુમરાહની જગ્યાએ મુકેશ કુમારને બેકઅપ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જોકે, મુકેશ કુમાર પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં એશિયન ગેમ્સ માટે ચીન જવા રવાના થશે. ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ આ ભારતીય ટીમનો હિસ્સો છે. મુકેશ કુમાર ટૂંક સમયમાં એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ સાથે ચીન જવા રવાના થશે, પરંતુ હાલમાં જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં તે ભારતીય ટીમ સાથે ઈન્દોરમાં છે. જસપ્રીત બુમરાહ બીજી વન-ડેની પ્લેઈંગ ઈલેવનમાં ન હોવાથી ઘણી અટકળો થઈ હતી.

ઈજા બાદ આયર્લેન્ડ શ્રેણીમાંથી પરત ફર્યા

તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામેની શ્રેણીમાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો હતો. આ પછી જસપ્રીત બુમરાહ એશિયા કપમાં રમ્યો. વાસ્તવમાં જસપ્રીત બુમરાહ ઈજાના કારણે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો. ઈજાના કારણે તે IPL 2023ની સિઝનમાં રમી શક્યો ન હતો. 

ભારતની પ્લેઇંગ ઇલેવન 

શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (કેપ્ટન-વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ ક્રિષ્ણા.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન 

ડેવિડ વૉર્નર, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જૉશ ઈંગ્લિસ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, શીન એબૉટ, એડમ ઝમ્પા, જૉશ હેઝલવુડ, સ્પેન્સર જોનસન.              

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Embed widget