શોધખોળ કરો

Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા

આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.

Year Ender 2025: વર્ષ 2025 સમાપ્ત થવાનું છે. આ વર્ષે ઘણા ભારતીય દિગ્ગજોએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. વિરાટ અને રોહિતે 2024માં ટી20  ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ આ વર્ષે બંનેએ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. આ યાદીમાં કેટલાક એવા ખેલાડીઓ પણ છે જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી તકો મળી નથી. તો ચાલો સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ.

રોહિત અને કોહલીની ટેસ્ટ નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત અને કોહલી યુગનો આ વર્ષે અંત આવ્યો. 7 મે, 2025ના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ પછી 10 મે, 2025ના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે રોહિત અને કોહલીએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બંને હવે વન-ડે ફોર્મેટમાં રમી રહ્યા છે.

ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહા પણ નિવૃત્તિ લીધી હતી.

ભારતીય ટેસ્ટ ટીમની વોલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પૂજારાએ પોતાની શાનદાર બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત મહત્વપૂર્ણ જીત અપાવી છે. જમણા હાથના બેટ્સમેને વિદેશમાં પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ 2025માં તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે 24 ઓગસ્ટ, 2025ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2010માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરનાર પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 35 અડધી સદીનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા રિદ્ધિમાન સહાએ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બર 2021 માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તેની છેલ્લી વન-ડે 2014માં હતી. ત્યારથી તેને તકો મળી રહી નથી અને તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો.

ભારતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલાએ 6 જૂન, 2025 ના રોજ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 2012માં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ચાવલાએ ભાવનાત્મક પોસ્ટ સાથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ત્રણેય ફોર્મેટમાં 1,000થી વધુ વિકેટ લીધી છે. 2012માં પોતાની છેલ્લી મેચમાં તેણે ભારત માટે 3 ટેસ્ટ, 25 વન-ડે અને 7 ટી-20 રમી હતી, જેમાં કુલ 43 વિકેટ લીધી હતી.

અત્યાર સુધી નિવૃત્તિ લેનારા ભારતીય ખેલાડીઓની યાદી


રોહિત શર્મા - 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

વિરાટ કોહલી - 10 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ચેતેશ્વર પૂજારા - 24 ઓગસ્ટ, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વૃદ્ધિમાન સહા - 1 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી

પીયુષ ચાવલા - 6 જૂન, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

આર. અશ્વિન (આઈપીએલમાંથી) - 27 ઓગસ્ટ, 2025

અમિત મિશ્રા - 4 સપ્ટેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

મોહિત શર્મા - 3 ડિસેમ્બર, 2025ના રોજ ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ

વરુણ એરોન - 10 જાન્યુઆરી, 2025ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ

ઋષિ ધવન - 5 જાન્યુઆરી,2025ના રોજ મર્યાદિત ઓવરના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Advertisement

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Amritsar: લગ્ન સમારંભમાં AAP ના સરપંચની ગોળી મારીને હત્યા, આ ગેંગસ્ટરે લીધી હુમલાની જવાબદારી
Embed widget