ચેન્નાઇ સુપરકિંગ્સે સૌથી વધુ આઠ વિદેશી ખેલાડી સહિત 23 ખેલાડીઓને રિટેન કર્યાં છે. આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે જયપુરમાં યોજાનારી હરાજીમાં 20 વિદેશી અને 50 ભારતીય સહિત કુલ 70 ખેલાડી ખરીદવામાં આવશે.
4/4
મુંબઈ: આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઇ સુપરકિંગ્સે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને આઈપીએલ 2019માં 12મી સિઝન માટે રિટેન કર્યાં છે. આઈપીએલ-12 માટે 18 ડિસેમ્બરે યોજાનારી હરાજી પહેલા આઠ ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. આઠ ટીમોએ 44 વિદેશી ખેલાડી સહિત 130 ખેલાડીઓને રિટેન કર્યા છે.