શોધખોળ કરો
Advertisement
IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો
નવી દિલ્હીઃ આંદ્રે રસેલ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું કેટલું ભારે પડી શકે છે તે કિંગ્સ ઇલેવન પંજાબને હાર બાદ સમજાઈ ગયું છે. તે નોબોલ પર બોલ્ડ થયો અને તે પછી જે કર્યું તેની કોઇને કલ્પના પણ નહીં હોય. રસેલની ઇનિંગની મદદથી કોલકાતાએ 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા.
મોહમ્મદ શમીએ 17મી ઓવરના છેલ્લા બોલ પર આંદ્રે રસેલને બોલ્ડ કર્યો હતો. જેના કારણે પંજાબની ટીમાં ખુશી છવાઇ ગઈ હતી. તે સમયે રસેલ 3 રન પર હતો. પરંતુ પંજાબની ખુશી વધારે સમય ન ટકી અને એમ્પાયરે નો-બોલ આપ્યો. આ નો બોલમાં બોલરની કોઇ ભૂલ નહોતી કે ન તો બોલની હાઇટ મર્યાદાથી વધારે નહોતી. પંજાબના કેપ્ટન રવિચંદ્રન અશ્વિને 30 યાર્ડની અંદર જરૂરી ચાર ફિલ્ડર રાખ્યા નહોતા. જે બોલ પર શમીએ રસેલને બોલ્ડ કર્યો તે વખતે 30 યાર્ડની અંદર માત્ર ત્રણ ફિલ્ડર જ હતા અને નિયમના હિસાબે નો-બોલ હતો.
રસેલે આ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને 17 બોલમાં 48 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત બોલિંગમાંપણ તેણે 3 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ ખેરવી હતી. રસેલના શાનદાર પ્રદર્શનના કારણે કેકેઆરે સતત બીજી મેચમાં જીત મેળવી હતી.
First the joy, then the disappointment - Bring back @Russell12A
Shami bowled the perfect yorker to get Russell bowled, only to find out it was a NO BALL. Full video here ▶️▶️https://t.co/dZnSquqrJP #VIVOIPL pic.twitter.com/gwJkCPVRtB — IndianPremierLeague (@IPL) March 27, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion