શોધખોળ કરો

IPL 2025 Final: 17 વર્ષ, 6256 દિવસ,  90,08,640 મિનિટ, ખિતાબ જીતવા પર RCB ની પોસ્ટ વાયરલ  

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી ચેમ્પિયન બન્યો છે.

IPL Final 2025 PBKS vs RCB : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025નો ખિતાબ જીત્યો છે. 17 વર્ષની રાહનો અંત આવ્યો છે. આખરે વિરાટ કોહલી ચેમ્પિયન બન્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ પંજાબને છ રનથી હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સની શાનદાર જીત બાદ RCBની પોસ્ટ વાયરલ થઈ છે. RCB દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે,  17 વર્ષ, 6256 દિવસ,  90,08,640 મિનિટ બાદ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો અંત આવ્યો.  

IPL 2025નું ટાઈટલ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ખેલાડીઓ જશ્નમાં ડૂબ્યા છે. બેંગ્લુરુની જીત બાદ વિરાટ કોહલી ભાવુક થયો હતો. આ શાનદાર જીત બાદ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. 

RCB એ 20 ઓવરમાં 190 રન બનાવ્યા હતા

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી હતી. RCB IPL ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો ચેમ્પિયન બની ચૂકી છે.  

191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો

પંજાબ કિંગ્સને 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે પંજાબે ઓપનિંગમાં બે અનકેપ્ડ ખેલાડીઓ મેદાનમાં ઉતાર્યા. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે તેમની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી, પરંતુ પ્રિયાંશ 24  રન બનાવીને આઉટ થયો. ફિલ સોલ્ટે એક અદ્ભુત કેચ પકડ્યો અને પ્રિયાંશને પેવેલિયન મોકલી દીધો હતો.  બધું બરાબર ચાલી રહ્યું હતું અને પંજાબનો સ્કોર એક વિકેટના નુકસાને 72 રન હતો, પરંતુ આગામી 26 રનમાં પંજાબે 3 મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી.

આ મહત્વપૂર્ણ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયર પણ માત્ર 1 રન જ બનાવી શક્યો. ટૂંક સમયમાં પંજાબે 98 રનના સ્કોરે 4 વિકેટ ગુમાવી દીધી. નેહલ વાઢેરા અને શશાંક સિંહે ધીમે ધીમે ઇનિંગ્સને આગળ ધપાવી અને સાથે મળીને 38 રન ઉમેર્યા, પરંતુ એકવાર વિકેટ પડવાનું શરૂ થયું મેચ પંજાબના હાથમાંથી સરકી ગઈ. 

મધ્યમ ઓવરોમાં નબળી બેટિંગ પંજાબ કિંગ્સની હારનું એક મુખ્ય કારણ હતું. 4 ઓવરમાં પંજાબની ટીમે શ્રેયસ ઐયર, પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિશની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યાંથી પંજાબ મેચમાં વાપસી કરી શક્યું નહીં. હકીકતમાં, 72 રનના સ્કોર પર એક વિકેટ લીધા પછી પંજાબે 26 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
વૈભવ સૂર્યવંશી માટે ક્યારે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા? BCCI એ આપ્યો મોટો સંકેત
સીઝનમાં 72 સિક્સર ફટકારનાર વૈભવ સૂર્યવંશી શું ખાય છે? જાણો આ 15 વર્ષના ઓરેન્જ કેપ વિનરનો ડાયટ પ્લાન
સીઝનમાં 72 સિક્સર ફટકારનાર વૈભવ સૂર્યવંશી શું ખાય છે? જાણો આ 15 વર્ષના ઓરેન્જ કેપ વિનરનો ડાયટ પ્લાન
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ
IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget