શોધખોળ કરો

IPL 2025 મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રોયલ્સનું મિશન ટેલેન્ટ હન્ટ શરૂ, રાહુલ દ્રવિડ પણ રહ્યા હાજર

IPL Mega Auction 2025: IPL 2025ની મેગા ઓક્શન પહેલા દરેક ફ્રેન્ચાઈઝી કોઈને કોઈ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં રાજસ્થાન રોયલ્સ પણ યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓની શોધમાં વ્યસ્ત છે.

Rajasthan Royals Trials Camp at Nagpur: IPL 2025ની મેગા ઓક્શનની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સે નાગપુરમાં તેની ટેલેન્ટ ટ્રાયલનું આયોજન કર્યું છે. ભૂતપૂર્વ ભારતીય ટીમ અને રાજસ્થાન રોયલ્સના નવા મુખ્ય કોચ, રાહુલ દ્રવિડ પણ આ ટ્રાયલ્સમાં હાજર રહ્યા હતા અને તેમણે નવા ખેલાડીઓની ક્ષમતાઓનું મૂલ્યાંકન કર્યું હતું. નાગપુરમાં રાજસ્થાન રોયલ્સની એકેડેમીમાં આયોજિત આ ટ્રાયલ્સમાં યુવા અને આશાસ્પદ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેઓ આગામી સિઝનમાં ટીમનો ભાગ બનવાની અપેક્ષા છે.     

રાહુલ દ્રવિડનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું
ભૂતપૂર્વ ભારતીય કોચ અને ફ્રેન્ચાઇઝીના નવા મુખ્ય કોચ, રાહુલ દ્રવિડનું મહારાષ્ટ્રના તાલેગાંવમાં ટીમના હાઇ પર્ફોર્મન્સ સેન્ટરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્રવિડનો આ પ્રથમ પ્રવાસ હતો અને તેના આગમનથી યુવા ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કેમ્પ દરમિયાન રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડને આવકારવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરેડ અને તિલક વિધિ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર હાજર તમામ ખેલાડીઓ માટે આ એક ખાસ ક્ષણ હતી, કારણ કે આ દિગ્ગજ ક્રિકેટરની દેખરેખમાં તેમને પોતાની રમત સુધારવાની તક મળી રહી છે.

રાજસ્થાન રોયલ્સની તૈયારી
રાજસ્થાન રોયલ્સ, જેણે 2008 માં તેનું પ્રથમ IPL ટાઇટલ જીત્યું હતું, તેણે હંમેશા પાયાના સ્તરે પ્રતિભા વિકાસ પર ભાર મૂક્યો છે. ટીમ નાગપુર, જયપુર અને ગુવાહાટી જેવા મોટા શહેરોમાં તેમજ યુકે અને યુએઈમાં એકેડમી ધરાવે છે. આ એકેડમીનો ઉદ્દેશ્ય નવા અને ઉભરતા ખેલાડીઓને પ્રોફેશનલ ક્રિકેટ માટે પ્લેટફોર્મ આપવાનો છે. નાગપુરમાં આયોજિત આ ટ્રાયલ પણ ટીમની નીતિનો એક ભાગ છે, જ્યાં તેઓ IPL 2025ની મેગા હરાજી પહેલા નવા અને આશાસ્પદ ખેલાડીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. 

આ પણ વાંચો : જો વરસાદમાં ધોવાઇ જશે કાનપુર ટેસ્ટ તો WTC પૉઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન કે ફાયદો ? જાણો અહીં 

MS Dhoni & Virat Kohli:ધોની કે કોહલી,કોણ છે સૌથી વધુ અમીર? જાણો બંને દિગ્ગજો એક વર્ષમાં કેટલી કરે કમાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ ક્યાં થશે જળબંબાકાર?Hun To Bolish | હું તો બોલીશ | ડુબાડ્યા બાદ દેખાયું દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટાRajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
વર્ષ 2025માં પોલીસ દળમાં 14820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા ભરાશેઃ હર્ષ સંઘવીની જાહેરાત
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
Junagadh Rain: જૂનાગઢમાં ધોધમાર વરસાદ,  ભવનાથમાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
જમીન પર પછાડી, વાળ ખેંચ્યા, ગણવેશ ફાડી નાખ્યો, રસ્તાની વચ્ચે RPF મહિલા કોન્સ્ટેબલ સાથે મહિલા બાખડી પડ, વીડિયો વાયરલ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
શું કેદારનાથ બદ્રીનાથના પ્રસાદમાં પણ ભેળસેળ હોય છે! તિરુપતિ બાદ ઉત્તરાખંડના મંદિરોમાં તપાસના આદેશ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
'PM જે વ્યક્તિ પર કૌભાંડનો આરોપ લગાવે છે, તેને ડેપ્યુટી CM બનાવી દે છે', વિધાનસભામાં બોલ્યા કેજરીવાલ
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
ગુસ્સામાં છોડી દીધી હતી નોકરી, હવે ફરીથી કામ પર રાખવા માટે ગૂગલે આપ્યા 225842193900 રૂપિયા!
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
દાંતા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે, 50થી વધુ શાળાના બાળકો ફસાયા, વાલીઓ ચિંતામાં
Embed widget