શોધખોળ કરો

IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ કોલકત્તાની જીતના હીરોએ તોડ્યો કોડ ઓફ કંડક્ટ, ચૂકવવી પડી ભારે કિંમત

કોલકત્તા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં RCBને 21 રને હાર આપી હતી

IPL 2023: કોલકત્તા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16ની મેચમાં RCBને 21 રને હાર આપી હતી. આરસીબી સામેની આ જીતનો હીરો સ્ટાર બેટ્સમેન જેસન રોય હતો. જો કે, મેચ દરમિયાન જેસન રોય તરફથી મોટી ભૂલ થઈ હતી અને તેને આઈપીએલની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સજા તરીકે જેસન રોયની મેચ ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

IPL દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં જેસન રોય પર લાગેલા દંડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, "કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન જેસન રોયને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે." IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.

વધુમાં કહેવામાં આવ્યું છે કે, "જેસન રોયને કલમ 2.2 હેઠળ લેવલ વન માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ ભૂલ માટે મેચ ફીના 10 ટકા સુધીનો દંડ ફટકારવામાં આવશે. મેચ રેફરીનો નિર્ણય અંતિમ છે.

કોલકત્તાનો થયો વિજય

જો કે આ પહેલા જેસન રોયે શાનદાર બેટિંગ કરતા KKRની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેસન રોયે 29 બોલમાં 56 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને આ ઇનિંગની મદદથી KKRએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરતા આરસીબીની ટીમ 20 ઓવરમાં માત્ર 179 રન જ બનાવી શકી હતી. IPL 16ની 8મી મેચમાં KKRની આ ત્રીજી જીત હતી. આ જીત સાથે KKR પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. એટલું જ નહીં KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ અકબંધ છે.

આ મેચ પર વિરાટ કોહલીએ શું કહ્યું?

આ હાર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે મેચમાં સારું રમ્યા નથી. અમે હાર ડિઝર્વ કરતા હતા. અમે વિપક્ષી ટીમને જીતવાની તક આપી હતી, અમારું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું. જો તમે મેચ પર નજર નાખશો તો તમે જોશો કે અમને મળેલી તકોનો અમે લાભ ઉઠાવી શક્યા નથી. અમે ઘણા કેચ છોડ્યા, જેના કારણે અમને વધુ 25-30 રનનો પીછો કરવો પડ્યો. આ સિવાય અમારા બેટ્સમેન સતત આઉટ થતા રહ્યા જેના કારણે અમે લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. તેણે એમ પણ કહ્યું કે માત્ર એક સારી ભાગીદારી મેચનું પાસુ પલટી શકે છે પરંતુ એવું થયું નહીં

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
આજની મેચમાં આ સાઉથ આફ્રિકન સ્ટાર બેટ્સમેન રચશે ઇતિહાસ, ગુજરાત વિરૂદ્ધ માત્ર 6 રનની જરૂર
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
હાર્દિક પંડ્યા થશે રિલીઝ, રોહિત-સૂર્યકુમાર નહીં આ દિગ્ગજને મળશે મુંબઇ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ
IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત
IPL 2026: મુંબઈ-લખનૌ બહાર, હવે 4 સીટ માટે 8 ટીમો વચ્ચે જામશે જંગ, જાણો પ્લેઓફનું આખું ગણિત
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget