શોધખોળ કરો

LSG vs RCB: રોમાંચક મેચમાં જીત સાથે બેંગ્લુરુની ક્વોલિફાયર-1માં એન્ટી, જીતેશ શર્માની વિસ્ફોટક ઈનિંગ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે RCB ક્વોલિફાયર-1 માં પહોંચી ગયું. 

LSG vs RCB IPL Highlights: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આ સાથે પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. IPL 2025 માં લીગ સ્ટેજની આ છેલ્લી મેચમાં LSG એ પ્રથમ બેટિંગ કરતા 227 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. જવાબમાં, RCB એ 8 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 6 વિકેટે જીત મેળવી. વિરાટ કોહલીની અડધી સદી અને જીતેશ શર્મા અને મયંક અગ્રવાલ વચ્ચેની સદીની ભાગીદારીના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે RCB ક્વોલિફાયર-1 માં પહોંચી ગયું. 

RCB ટોપ-2 માં રહેવા માંગતી હતી અને પ્રથમ ક્વોલિફાયર રમવા માંગતી હતી, તો તેમના માટે આ મેચમાં લખનૌને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. LSG દ્વારા આપવામાં આવેલા 228 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગલુરુએ ખૂબ જ સારી અને ઝડપી શરૂઆત કરી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ વચ્ચે 61 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી, આ દરમિયાન સોલ્ટ 30 રન બનાવીને આઉટ થયો હતો. રજત પાટીદાર 14 રન બનાવીને આઉટ થયો હતો અને લિયામ લિવિંગસ્ટોન બીજા જ બોલ પર શૂન્યના સ્કોર પર આઉટ થયા હતા.

90 રનના સ્કોર પર RCBએ 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિરાટ કોહલી હજુ પણ ક્રીઝ પર ઊભો હતો. મયંક અગ્રવાલ અને કોહલી વચ્ચે સારી ભાગીદારી  રહી હતી, પરંતુ પછી કોહલી 54 રન બનાવીને આઉટ થઈ ગયો. વિરાટની વિકેટ પછી બાકી રહેલું કામ મયંક અગ્રવાલ અને જીતેશ શર્માએ પૂર્ણ કર્યું.

જીતેશ શર્માની સામે પંતની સદી ઝાંખી પડી

લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી ઋષભ પંતે 61 બોલમાં અણનમ 118 રન બનાવ્યા. તેની ઇનિંગના કારણે જ LSG એ 227 રન બનાવ્યા. જવાબમાં RCB એ 123 ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી. જીતેશ શર્મા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને તેણે આવતાની સાથે જ ફટકારવાનું શરૂ કરી દીધું. તેણે 33 બોલમાં અણનમ 85 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. તેણે મયંક અગ્રવાલ સાથે 107  રનની ભાગીદારી કરી. અગ્રવાલ પણ 41 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget