નોંધનીય છે કે, કેકેઆરે આ વખતે સુનિલ નરેન, દિનેશ કાર્તિક, રૉબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, ક્રિસ લિન, આંદ્ર રસેલ, મિશેલ સ્ટાર્ક, શુભમ ગિલ, ઇશાંક જગ્ગી અને કમલેશ નગરકોટી જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
2/6
વિન્કી મૈસુરે કહ્યું કે, ગોતમ તેમના પ્લાનનો ભાગ હતા, પણ ગંભીરે જાતે જ તેમને કહ્યું કે તેમને આરટીએમ દ્વારા પણ ના ખરીદતા. તેમને ગૌતમને તેના ભવિષ્ય માટે શુભેચ્છા આપી છે.
3/6
કેકેઆરે ગૌતમ ગંભીર માટે રાઇટ ટુ મેચનો પણ યૂઝ ના કર્યો, જેનું કારણ થોડુ જુદુ છે. કેકેઆરના સીઇઓ વિન્કી મૈસુરે આ અંગે જણાવ્યું કે, ગોત્તમ ગંભીર જાતે જ કેકેઆરથી અલગ થવા માંગતા હતા, જેના કારણે તેમને કેકેઆરની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
4/6
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012 અને વર્ષ 2014માં આઇપીએલનો તાજ કોલકત્તાના માથા પહેરાવનાર કેપ્ટન ગંભીરને હવે દિલ્હી ડેરડેવિલ્સે 2 કરોડ 80 લાખ રૂપિયામાં ખરીદી લીધો છે, પણ કેકેઆરે ખરીદવાની કોઇજ તાકાત લગાવી નથી.
5/6
6/6
નવી દિલ્હીઃ આઇપીએલ સિઝન 11ની નિલામીમાં અત્યાર સુધી બધી ટીમોએ પોતાનું જોર લગાવ્યુ છે અને તેમના પસંદગી ખેલાડીને તેમની ટીમમાં સામેલ કરી લીધા છે, પછી ભલેને તેમને કોઇ મોટી કિંમત જ કેમ ના ચૂકવવી પડે. કરોડો રૂપિયા ખર્ચ કરીને કેટલીક ટીમોએ સારા ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે, પણ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય છે કે બે-બેવાર કોલકત્તાને આઇપીએલ ચેમ્પિયન બનાવનારા કેપ્ટન ગંભીરને કેમ કોલકત્તાની ટીમે નથી ખરીદ્યો.