શોધખોળ કરો
INDvNZ: વન ડેમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી હારના આ રહ્યા કારણો, જાણો વિગત
1/4

કોહલી-ધોનીની ગેરહાજરીઃ ટીમ ઈન્ડિયાને આ મેચમાં કોહલી અને ધોનીની ગેરહાજરી સ્પષ્ટ વર્તાઇ હતી. કોહલીને આરામ આપવામાં આવ્યો હોવાથી તે સીરિઝની બાકીની મેચો નથી રમવાનો. જ્યારે ધોની અનફિટ હોવાના કારણે ટીમમાં નહોતો. ધોની ઘણી વખત ટીમ ઈન્ડિયાએ શરૂઆતમાં 3 થી 4 વિકેટ ગુમાવ્યા બાદ સન્માનજક સ્કોર સુધી લઈ જવામાં સફળ રહ્યો છે.
2/4

સ્વિંગ અને ફાસ્ટ બોલર્સનો સામનો કરવાની નબળાઈ ફરી આવે સામીઃ 92 રનના સ્કોરમાં આઉટ થઇ ગયેલી ટીમ ઈન્ડિયાની સ્વિંગ અને ફાસ્ટ બોલર્સ સામે રમવાની નબળાઇ ફરી સામે આવી હતી. કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો યજમાન ટીમના બોલર્સ ટ્રેન્ટ બોલ્ટ અને ગ્રાન્ડહોમનો સામનો કરી શક્યા નહોતા. બોલ્ટે 5 તથા ગ્રાન્ડહોમે 3 વિકેટ લીધી હતી. બોલ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Published at : 31 Jan 2019 01:09 PM (IST)
View More





















