શોધખોળ કરો
ભારતમાં ક્રિકેટ સ્ટેડિયમમાં વધુ એકનો થશે ઉમેરો, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20, જાણો વિગત

1/4

લખનઉઃ ચાલુ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. કેરેબિયન ટીમ અહીંયા 2 ટેસ્ટ, 5 વન ડે અને 3 T20 મેચ રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ 6 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે T20 મુકાબલો નવાબોના શહેરમાં રમાશે. મેચની સાથે જ લખનઉનું ઇકાના મેદાન ભારતનું 22મું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે.
2/4

2016માં મેદાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ અહીં ડોમેસ્ટિક મેચ યોજાતી હતી. 50 હજાર સીટની ક્ષમતા ધરાવતાં મેદાન પર 2017-18ની દુલિપ ટ્રોફી ફાઇનલ યોજાઈ હતી. ભારતમાં હાલ 21 સક્રિય ક્રિકેટ સ્ટેડિયમ છે. અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું ફરી વાર નિર્માણ થઈ રહ્યું હોવાથી યાદીમાં સામેલ નથી.
3/4

આશરે બે મહિના પહેલા બીસીસીસાઈએ વેસ્ટ ઇન્ડિઝના સંભવિત પ્રવાસને ધ્યાનમાં રાખી ટી-20 મેચની યજમાની ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (યૂપીસીએ)ને સોંપવાનો ફેંસલો કર્યો હતો. યૂપીસીએના સચિવ યદુવીર સિંહે બીસીસીઆઈને આ મેચ ઇકાના સ્ટેડિયમમાં કરાવવાનું કહ્યું. જે બાદ બીસીસીઆઈ દ્વારા સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમ સ્ટેડિયમની સુવિધાથી સંતુષ્ઠ થઈ. આ રિપોર્ટના આધારે આઈસીસીએ મેચ માટે લીલી ઝંડી આપી.
4/4

લખનઉના નવનિર્મિત ઇકાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. ટી20 મેચની યજમાની મળવાની શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઘણા ખુશ છે. ગત વર્ષે ન્યૂઝિલેન્ડ સામેની વન ડે મેચની યજમાની મળવાની આશા હતી, પરંતુ બીસીસીઆઈની ટીમ સ્ટેડિયમને લઇ સંતુષ્ટ નહોતી. જેના કારણે યજમાની મળી શકી નહોતી.
Published at : 05 Sep 2018 11:13 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
