શોધખોળ કરો
Advertisement
હાલની ભારતીય ટીમ એકદમ મજબૂત પણ જો વર્લ્ડકપ નહીં જીતે તો દુઃખ થશે, કયા ભારતીય કેપ્ટને આપ્યુ આવુ નિવેદન
અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે
હૈદરાબાદઃ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનને ભારતીય ટીમ હાલના સમયની સૌથી મજબૂત ટીમ લાગી રહી છે. તેમને ટીમને સૌથી દમદાર અને સંતુલિત ગણાવતા દાવો કર્યો છે કે, વિરાટ કોહલી પાસે સારા બૉલર્સ છે જે ખિતાબ જીતાડી શકે છે.
ભારત માટે 99 ટેસ્ટમાં 6215 રન અને 334 વનડેમાં 9378 રન બનાવી ચૂકેલા અઝહરે કહ્યું, ''અમારી પાસે સારો મોકો છે. અમારી પાસે સૌથી સારી ટીમ છે. બૉલરો બહુજ સારા છે. અમારા બૉલર્સ વિરોધ ટીમ પર ભારે પડી શકે છે, વિકેટ ઝડપી શકે છે. અમારી પાસે વર્લ્ડ લેવલના બૉલરો છે. છતાં જો ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો બહુજ દુઃખ થશે. નિરાશ થવાશે.''
અઝહરે વધુમાં કહ્યું કે, જો આટલી સારી ટીમ હોવા છતાં ટીમ વર્લ્ડકપ નથી જીતતી તો નિરાશા થશે. જસપ્રીત બુમરાહની આગેવાનીમાં ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ વર્લ્ડ લેવલનું બનીને ઉભરશે. બુમરાહની સાથે શમી, ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યા મદદગાર સાબિત થશે.
હાલના સમયમાં ભારત નંબર વન ટીમ છે, જ્યારે બીજા નંબરે ઇંગ્લેન્ડ અને ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ આવે છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion