શોધખોળ કરો

આજે ઔપચારિકતા પુરી કરવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા, કિવીઓએ ગઇકાલે જ રોળી નાંખ્યુ કોહલીનુ સેમિ ફાઇનલ રમવાનુ સપનુ, જાણો વિગતે

પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ  છે,

નવી દિલ્હીઃ આજે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાશે, આજની મેચ ભારતીય ટીમ માટે ખાસ મહત્વની નથી પરંતુ માત્ર ઔપચારિક રહી ગઇછે. ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડને જીત મળતાની સાથે જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. હાલમાં પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ  છે, આથી આજની મેચ બન્ને ટીમો માટે માત્ર ઔપચારિક જ છે. 

આજે સાંજે 7.30 વાગે દુબઇના સ્ટેડિયમમાં ભારત અને નામિબયા વચ્ચે મેચ રમાશે, વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં શરૂઆતની બન્ને મેચો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી જતાં સમિ ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ ગયુ હતુ, જોકે બાદમાં અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ સામે સારી રમત રમીને નેટ રનરેટ સારી કરી હતી, પરંતુ હવે આ  પ્રયાસ પણ નકામો સાબિત થયો છે, ગઇકાલની મેચમાં જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેતુ તો ભારતીય ટીમ માટે આજની નામિબિયા સામેની મેચ મહત્વની રહેતી. 

સેમિ ફાઇનલ મેચ
આગામી દિવસોમાં સેમિ ફાઇનલ મેચો રમાશે, જેમાંથી પ્રથમ સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, જે 10 નવેમ્બરે છે, જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, જે 11 નવેમ્બરે છે. આ પછી બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે, અને ત્યારબાદ એક નવુ ટી20 ચેમ્પિયન મળશે. 

ભારત ટી-20 વર્લ્ડ કપમાંથી ફેંકાયું બહાર
ન્યુઝીલેન્ડનો અફઘાનિસ્તાન સામે 8 વિકેટે શાનદાર વિજય થયો છે. આ સાથે ભારતનું ટી-20 વર્લ્ડકપનું સપનું રોળાયું છે. અફઘાનિસ્તાન સામે ન્યુઝીલેન્ડનો વિજય થતાં જ ભારત વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. ભારતના ગ્રૂપ 2માંથી પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ સેમિફાઇનલમાં ગયા છે. 

નોંધનીય છે કે, અફઘાનિસ્તાને પહેલો દાવ લીધો હતો અને ન્યુઝીલેન્ડને 124 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે ન્યુઝીલેન્ડે ખૂબ જ સરળતાથી ચેઝ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડે 19મી ઓવરે અફઘાનિસ્તાને આપેલો ટાર્ગેટ ખૂબ જ આશાનીથી પૂરો કરી લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget