શોધખોળ કરો
'વેલેન્ટાઇન ડે'ના દિવસે જ વૈભવી જીવન છોડી કરોડપતિ પરિવારની 8 યુવતીઓ ગ્રહણ કરશે દીક્ષા
1/4

સુરતઃ દીક્ષાનગરી તરીકે મનાતા સુરતમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ કરોડપતિ પરિવારની 8 યુવતીઓ દીક્ષા લઈને જૈન સાધ્વી બની જશે. આ યુવતીઓની ઉંમર 14થી 27 વર્ષની વચ્ચે છે. જેમાંથી કેટલીક યુવતીઓ ગુજરાત બહારથી કર્ણાટક, મુંબઈ અને રાજસ્થાનની રહેવાસી પણ છે. એક સાથે આટલી સંખ્યામાં યુવતીઓ દીક્ષા ગ્રહણ કરતી હોય તેવો પ્રસંગ બે દાયકા બાદ જોવા મળશે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)
2/4

આ દીક્ષા લેનારી યુવતીઓ પૈકી રાજસ્થાનના ઘાસચારાના વેપારીની દીકરી પૂજા છાજેડ 22 વર્ષની છે અને તે કહે છે કે ‘પહેલા મને ઘણાબધા સાંસારીક મોહની લાલસા હતી. પરંતુ જોકે અમારા માતાપિતા પહેલાથી જ અમને મોક્ષ અને ત્યાગ લઈ દીક્ષાના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહન આપતા હતા. જોકે મારો ભાઈ સંસારના મોહને ત્યાગી શક્યો નહીં પણ બે વર્ષ પહેલા જ્યારે મારા દાદાનું મૃત્યુ થયું ત્યારથી મારી દુનિયા બદલાઈ ગઈ છે. મને સંસારના મોજશોખ મિથ્યા લાગવા લાગ્યા છે.’
Published at : 30 Jan 2019 07:19 AM (IST)
View More





















