શોધખોળ કરો

'હેલો હું સીબીઆઈનો અધિકારી બોલું છું...', વૃદ્ધ મહિલાના બેંક એકાઉન્ટમાંથી આ રીતે ઊડી ગયા 72 લાખ રૂપિયા

Cyber Fraud: કેરળમાં એક 82 વર્ષીય મહિલાને સાયબર ઠગોએ 72 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. ઠગોએ પોતાને આરબીઆઈ અને સીબીઆઈ અધિકારી ગણાવીને મહિલાને પોતાના જાળમાં ફસાવી અને તેમના બેંક ખાતામાંથી પૈસા કાઢી લીધા.

Digital Arrest Case: કેરળની 82 વર્ષની વૃદ્ધ મહિલાને સાયબર ઠગીનો શિકાર બનાવવામાં આવ્યા છે. સાયબર ઠગોએ વૃદ્ધ મહિલાને મોટી ચતુરાઈથી નિશાન બનાવ્યા અને તેમના બેંક ખાતામાંથી 72 લાખ રૂપિયા ઉડાવી દીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મહિલાએ જણાવ્યું કે 23 ઓગસ્ટે તેમની પાસે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. કૉલ કરનારે પોતાની ઓળખ એક RBI અધિકારી તરીકે આપી. ત્યારબાદ આરોપીએ મહિલાને જણાવ્યું કે તેમનું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયું છે અને તેના પર તુરંત ધ્યાન આપવાની અને તેને અનબ્લોક કરવાની વાત કરી.

ત્યારબાદ મહિલા પાસે એક અન્ય કૉલ આવ્યો અને પછી તે ઠગે મહિલાને પોતાની ઓળખ CBI અધિકારી તરીકે આપી. નકલી સીબીઆઈ અધિકારીએ મહિલાને જણાવ્યું કે તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત મહિલા પર અન્ય કેટલાક આરોપો પણ મૂકવામાં આવ્યા. મામલો જાણીને મહિલા ગભરાઈ ગઈ. ત્યારબાદ મહિલાને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તપાસ ચાલી રહી છે, તે તેમનો સહકાર આપે. ત્યારબાદ મહિલાને નકલી દસ્તાવેજો બતાવીને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવી અને પછી ધરપકડની ધમકી પણ આપવામાં આવી.

મહિલા પાસેથી બેંક એકાઉન્ટની માહિતી લેવામાં આવી

આ તપાસ દરમિયાન મહિલા પાસેથી તેના બેંક એકાઉન્ટની માહિતી લેવામાં આવી અને કહેવામાં આવ્યું કે જો તે તપાસમાં સહકાર નહીં આપે તો તેમની ધરપકડ નિશ્ચિત છે. ત્યારબાદ મહિલાએ ગભરાઈને પોતાની બેંક એકાઉન્ટ વિગતો ઠગોને સોંપી દીધી અને પછી 72 લાખ રૂપિયા ઉડાવી લેવામાં આવ્યા.

કેવી રીતે રાખશો પોતાને સુરક્ષિત

સાયબર ફ્રોડથી બચવા માટે કોઈપણ અજાણ્યા નંબરથી આવેલા કૉલ પર વિશ્વાસ ન કરો. આ ઉપરાંત, ફોન પર આવતા OTP શેર ન કરો. સાથે સાથે નકલી મેસેજ પર ક્લિક ન કરો અને કોઈ જરૂરી માહિતી શેર ન કરો.

નોંધનીય છે કે, તમે નામ અને નંબર પર ધ્યાન આપીને નકલી મેસેજને ઓળખી શકો છો. કોઈપણ સમયે તમે કોઈ વ્યક્તિગત નંબર પરથી સંદેશ અથવા કૉલ પ્રાપ્ત કરો છો, તે છેતરપિંડીનો સંદેશ હોઈ શકે છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા સંદેશામાં, VM-ICICI બેંક, JD-ICICIBK જેવા નામો સાથે સંદેશાઓ આવે છે. કોઈપણ બેંક ક્યારેય વ્યક્તિગત નંબરો પરથી સંદેશા મોકલતી નથી.

આ પણ વાંચોઃ

આ નંબરો પરથી આવતા કૉલ્સથી સાવધાન રહો! રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે ચેતવણી જારી કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
Embed widget