શોધખોળ કરો
નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કરતા ભીખુદાન ગઢવીએ શું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. નરેશ કનોડિયાના નિધનને લઈ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ દુખ વ્યક્ત કર્યું છે. ભીખુદાનભાઈએ કહ્યું મહેશભાઈ અને નરેશ કનોડિયાના જવાથી ખૂબ જ દુખ થયું છે. ભીખુદાનભાઈએ કહ્યું, લોકસાહિત્યકાર તરીકે ખૂબ જ દુખ થયું છે. લોકોના હૈયામાં જીવિત રહેશે. બંધુ બેલડીને મોત પણ નોખા ન પાડી શકી. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આગળ જુઓ





















