Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
ધોરણ આઠ પાસ મુદ્દે વિધાનસભા ગૃહમાં ઉગ્ર ચર્ચા. ધોરણ આઠ પાસના ગોપાલ ઈટાલિયાના નિવેદન ઉપર ઉગ્ર ચર્ચા. ગોપાલ ઈટાલિયા બોલ્યા, "હું ગ્રેજ્યુએટ છું, બીએ, એલએલબી છું, મને ગર્વ છે, હું ભણ્યો છું, આઠ પાસ નથી." ગોપાલ ઈટાલિયાના નિવેદન પર જીતુ વાઘાણીનો પલટવાર, "કેશુભાઈ પટેલ માત્ર ચાર પાસ હતા. ગોપાલ ઈટાલિયાને જ્યારે જરૂર પડી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લીધા. કેશુબાપા ઓછા ભણ્યા એમાં ગોપાલ ઈટાલિયાને વાંધો નહોતો." નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પણ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર, "અમુક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે, ગ્રેજ્યુએટ થયેલા અને બીએ, એલએલબી સભ્યના અભ્યાસક્રમમાં શું હશે, મને નથી ખબર. એલએલબીના અભ્યાસક્રમમાં કોઈને જૂતું મારવાનું લખ્યું હશે કે નહીં એ મને ખબર નથી. કાયદાની વાત આવે ત્યાં કોઈને જૂતું તો ના જ ફેકાય. મુદ્દો ડાયવર્ટ કેમ કરવો તે ટ્રેનિંગ કદાચ તેમને દિલ્હીથી મળી હશે." એવો ટોણો માર્યો હર્ષ સંઘવીએ. વિધાનસભા ગૃહની અંદર આજે પ્રશ્નોત્તરી બાદ બે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠ્યા હતા અને એક પોઈન્ટ ઓફ ઓર્ડરની ચર્ચા દરમિયાન આ વાત સામે આવી હતી. ગોપાલ ઈટાલિયાએ જો કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નામ પણ નહોતું લીધું અને કહ્યું હતું કે હું બીએ, એલએલબી છું એનું મને ગર્વ છે કે હું શિક્ષિત છું, આઠ પાસ નથી એમ કરીને તેમણે વાત કરી હતી. સામે મંત્રી જીતુ વાઘાણી ઊભા થયા હતા અને તેમણે ઉલ્લેખ કર્યો હતો, વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે યોજાઈ હતી, ગોપાલ ઈટાલિયાએ પેટા ચૂંટણી વિસાવદરની લડતા હતા, ત્યારનો ઉલ્લેખ કર્યો. કેશુભાઈ પટેલના એઆઈ વીડિયો બનાવી અને તેમણે પ્રચાર કર્યો હતો, જેમાં ગોપાલ ઈટાલિયા કેશુભાઈ પટેલના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના આશીર્વાદ લેતા હોય એવા વીડિયો બનાવ્યા હતા. એને ટાંકી અને કહ્યું કે એ પણ ચાર પાસ જ હતા, તો એમાં તમને વાંધો નહોતો, પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આઠ પાસ છે, તો એના ભણતરને લઈને વારંવાર કોમેન્ટ થાય છે. જો કે અહીંયા આંતરિક રાજનીતિ પણ જોવા મળી. ગૃહની અંદર ગોપાલ ઈટાલિયાએ નામ નહોતું લીધું, એણે સ્પષ્ટતા નથી કરી કે ન તો હર્ષ સંઘવીના નામ સાથે વાત કરી, પરંતુ જીતુભાઈ વાઘાણીએ હર્ષ સંઘવીનું નામ લઈ અને ગૃહમાં એ પણ પ્રસ્થાપિત કરી દીધું કે ગોપાલ ઈટાલિયા જે ઓછા ભણતરની વાત કરે છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઓછા ભણતરની વાત કરે છે, બીજા કોઈની વાત નથી કરતા. એટલે આ રાજકારણનો એક ભાગ છે, જે ભાગ પણ આજે જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઊભા થયા હતા આ પોઈન્ટ ઓફ ઓર્ડરમાં જવાબ આપવા માટે અને તેમણે પણ કહ્યું હતું કે બીએ, એલએલબી ભણેલા છે, પરંતુ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કેરિક્યુલમમાં જૂઠું બોલવાની ટ્રેનિંગ નહીં અપાતી હોય, કોઈના ઉપર જૂતું મારવાની વાત નહીં હોય, કારણ કે કાયદાના વિદ્યાર્થી છે અને કાયદો ભણેલા છે. આમ કરી અને આ તમામ ચર્ચા થઈ હતી.























