Hun To Bolish LIVE | હું તો બોલીશ | સિસ્ટમ કોની ખરાબ?
વલસાડના ઉમરગામ તાલુકાના ટીડીઓ સામે કેટલાક ગામોના સરપંચ અને પંચાયતના સભ્યોએ મોરચો માંડ્યો. કારણ હતું. કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા. આચારસંહિતાના અમલને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક આવશ્યક કામોને મંજૂરી ન મળતા હાલાકી સર્જાઈ છે. આ અંગે સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકરને રજૂઆત કરી. કે TDO તેમના કામ નથી કરતા. રમણ પાટકરે આ મુદ્દે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી. અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો 4 જૂન બાદ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી. રમણ પાટકરે પણ TDO સામે શું આરોપ લગાવ્યા આવો સાંભળી લઈએ
ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકમાંથી ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીનું શાસન છે. ત્યારે ગારિયાધારમાં ભાજપના પ્રમુખ નિલેશ રાઠોડે તો મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ચીફ ઓફિસર અને મામલતદાર અમારું નથી સાંભળતા. માત્ર ને માત્ર ધારાસભ્ય સુધીર વાઘાણી કે જે આમ આદમી પાર્ટીના છે...તેમની જ વાત માને છે...























