શોધખોળ કરો
અમદાવાદ: વાસણાને બદલે હવે બહેરામપુરા રિવરફ્રન્ટથી ઉડાન ભરશે સી-પ્લેન, જુઓ વીડિયો
અમદાવાદમાં સી પ્લેનના (Gujarat's Seaplane) ઉડાન સ્થળમાં ફેરફાર કરવામા આવ્યો છે. વાસણાને બદલે હવે બહેરામપુરા રિવરફ્રંટથી સી-પ્લેન ઉડાન ભરશે. પાણીની લાઇનને નુકશાન થતું હોવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ૩૧ ઓક્ટોબરથી સાબરમતી રિવરફ્રન્ટથી (Sabarmati Riverfront) સરદાર સરોવર સુધી શરૂ થવા જઈ રહેલી સી પ્લેન સેવા અગાઉ તેના રૂટને લઈને ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ વાસણા રિવરફ્રન્ટથી ઉડાન ભરનાર સી પ્લેનની યોજનાનો રૂટ બદલવામાં આવ્યો છે. સાબરમતી નદીના વાસણા તરફ પાણીની ઇન્ટરસેપ્ટર લાઇન પસાર થતી હોવાથી જેટી અને બોયાના વજનના કારણે સમસ્યા ઉભી થાય તેવી સ્થિતિ હતી જેના કારણે હવે બહેરામપુરા સ્થિત નદીના માર્ગથી સીપ્લેન ઉડવાની શરૂઆત કરવામાં આવશે.જે માટે બોયા અને જેટી બહેરામપુરા સ્થિત રિવરફ્રન્ટ પરથી આ સી પ્લેન ઉડાણ ભરશે.જે માટેના બોયા એલિસબ્રિજથી જમાલપુર સુધીના પાણીમાં તરતા મુકવામાં આવ્યા છે
અમદાવાદ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
આગળ જુઓ




















