Rathyatra 2025: ‘આજે મારા દિલમાં દિવાળી..’ રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
Rathyatra 2025: ‘આજે મારા દિલમાં દિવાળી..’ રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે..ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 10 ભજન મંડળીઓ જોડાઈ હતી. રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 18 ગજરાજ રથયાત્રાની આગેવાની કરી રહ્યા છે. 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી રહી છે. 148મી રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. ટ્રકો જમાલપુર દરવાજાથી આગળ નીકળ્યા હતા.
અમદાવાદ જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવી હતી. આ દરમિયાન તેમણે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કર્યો છે. આ પછી મુખ્યમંત્રીએ રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું.



















