Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
અમદાવાદ મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ 'વાહ પીઝા એન્ડ ભેળ' નામના એકમમાંથી મૃત ગરોળી મળી. ગ્રાહકના ભોજનની ડીશમાં મૃત ગરોળી મળી આવતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરાઈ. આરોગ્ય વિભાગ એ ઘટના સ્થળની મુલાકાત કરી એકમની ચકાસણી હાથ ધરી
બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર. અમદાવાદના સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટમાં આવેલા Wah પીઝા એન્ડ ભેળ હાઉસમાં ગ્રાહકના ચણાપુરીમાંથી મૃત ગરોળી નીકળી હતી.ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ફરિયાદ કરી હતી. જેથી ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક દુકાન ઉપર પહોંચી હતી જ્યાં તપાસ કરતા દુકાનમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવી. તેમજ ડીપ ફ્રીઝરમાં પણ જીવાતો જોવા મળી. દુકાનમાં ગંદકી અને મૃત ગરોળી નીકળતા દુકાનને તાત્કાલિક ધોરણે સીલ કરવા ની કાર્યવાહી કરવામાં આવી






















