Thakor Samaj Sneh Milan: ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં ભાજપ- કોંગ્રેસ નેતાઓ આવ્યા સાથસાથ
દિયોદયની ઠાકોર બોર્ડિંગ પર યોજાયોલ ઠાકોર સમાજનું મહા સ્નેહમિલન કાર્યક્રમ. આ સ્નેહમિલન કાર્યક્રમમા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ભાજપ-કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ જ પણ એક મંચ પર જોવા મળ્યા. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર સહિત તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓએ સમાજના ચાલતા કુરિવાજોને દૂર કરવા સમાજના અપીલ કરી .. ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં ચાલતી બદીઓને દુશ્મન સમાન ગણાવીને શિક્ષણ અને રાજકીય રીતે યુવાનોને મજબુત બનવા અપીલ કરી. તો સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું સમાજ માટે કોઈ પક્ષ કરતા સમાજની એક્તા માટે વધુ કામ કરીશ.. સમાજ કુરિવાજો, વ્યસન ઉપર અંકુશ લાવે તો ડોક્ટર, પોલીસ અને વકીલના ધંધા પર અસર થશે.. એટલુ જ નહીં ગેનીબેન ઠાકોરે તો બહેન દીકરીઓની સુરક્ષા માટે મૈત્રી કરારના કાયદાને ખતરનાક ગણાવ્યો.


















