શોધખોળ કરો
કેવડિયા દુનિયાના પ્રવાસન મેપ પર છવાઇ જશેઃ વડાપ્રધાન મોદી
સરદાર પટેલની 145મી જયંતિ પર કેવડિયામાં એકતા દિવસ સમારોહમાં વડાપ્રધાન મોદી સામેલ થયા હતા. વડાપ્રધાન મોદીએ સરદાર જયંતીએ દેશને એકતા શપથ અપાવ્યા હતા. એકતા પરેડમાં દેશના જવાનો અને કોરોના વૉરિયર્સને PMએ સલામી આપી હતી. ચીન-પાકિસ્તાન પર નામ લીધા વિના પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું હતું કે આતંકીઓ અને તેમના સાથીઓને ઓળખીએ છીએ. ભારત પર નજર કરનારને મળશે જડબાતોડ જવાબ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કેવડિયા દુનિયાના પ્રવાસન મેપ પર છવાઇ જશે. સરદાર પટેલે સેંકડો રજવાડાઓને એક કર્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં પ્રવાસન ક્ષેત્રે પોતાની જગ્યા બનાવશે.
ગુજરાત
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
આગળ જુઓ





















