Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2024માં 600થી વધુ લગ્નની નોંધણી થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાનના લગ્ન નોંધણીનો કોઈ રેકોર્ડ હજુ સુધી તપાસ ટીમને મળ્યો નથી. જાંબુઘોડા તાલુકામાં આવેલા કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના ગંભીરના આરોપો બાદ પ્રશાસનની ટીમ દોડતી થઈ હતી.
તપાસના ભાગરૂપે કણજીપાણી,કરા,ઉઢવણ,રામપુરા ગ્રામ પંચાયતોના રેકોર્ડ કબ્જે લેવામાં આવ્યા હતા. તાલુકા સ્તરની ટીમે રેકર્ડની તપાસ કરી તો જાણવા મળ્યું કે, વર્ષ 2024 દરમિયાન 600 થી વધુ લગ્ન નોંધણી કરવામાં આવી હતી. સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે વર્ષ 2025માં થયેલી લગ્ન નોંધણીના કોઈ પણ દસ્તાવેજી પુરાવા કે આધારભૂત રેકર્ડ ગ્રામ પંચાયતમાંથી મળ્યા નથી. ગાયબ થયેલા રેકર્ડ પાછળ કોઈ ષડયંત્ર હોવાની પણ અશંકા પ્રબળ બની છે. સમગ્ર કૌભાંડ બાદ તત્કાલિક તલાટી મંત્રી એ.કે. મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા.

















