શોધખોળ કરો
પંચમહાલના ઘોઘંબામાં દીપડાને પકડવામાં વન વિભાગની ગંભીર બેદરકારીના અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ આવ્યા હરકતમાં
પંચમહાલ: ઘોઘંબાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આતંકથી લોકોમાં ભયનો માહોલ છે. દીપડાને પકડવા માટે વન વિભાગ ટીમની ફરી ગંભીર બેદરકારી સામે આવી છે. દીપડાને ઝડપવા માટે ગોયાસુંડલ ગામના જંગલ વિસ્તારમાં મુકવામાં આવેલા પાંજરામાં બકરી મારણ કરી દિપડો ફરાર થઈ ગયો હતો. દિપડો બકરીનું મારણ કરવા પાંજરાની અંદર ઘૂસ્યો તો ખરો પણ પાંજરાનો દરવાજો બંધ ન થતા દિપડો ફરાર થઈ ગયો હતો. એવામાં વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરા ગુણવત્તાહીન હોવાનું બહાર આવ્યું છે. ગંભીર બેદરકારીને લઇ વન વિભાગ ના અધિકારી એમ એલ મીના બચાવ માં ઉતરી આવ્યા હતા અને ઉડાવ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, દીપડો વાઈલ્ડ એનિમલ છે મારણ કરી ચાલ્યો જશે અમે તેને પકડવાની બાંહેધરી નથી લેતા. આ પ્રકાર ની પહેલા કોઈ ઘટના બની ન હોવાનું પણ અધિકારીએ રટણ કર્યું હતું
ગુજરાત
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
DyCM Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
આગળ જુઓ





















