Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગરબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.
પોતાના પત્રમાં તેમણે લખ્યું કે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમનું હંમેશાંથી માનવું રહ્યું છે કે મજબૂત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ કોઈપણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા હોય છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, "3 મે 2026ના રોજ આયોજિત NEET-UG પરીક્ષામાં ગડબડની ફરિયાદો સામે આવતા જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મામલાની તપાસ CBIને સોંપવામાં આવી, પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો અને આવતા વર્ષથી NEETને પૂરેપૂરી કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી."






















