Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Shankar Chaudhary: કાંતિ અમૃતિયાના રાજીનામા મુદ્દે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મોટું નિવેદન
Political Stunt: કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયાની રાજીનામાની ચેલેન્જનો રાજકીય ડ્રામા હવે ચરમસીમા પર પહોંચ્યો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા 70થી વધુ કારના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. આ સમગ્ર પોલિટિકલ સ્ટંટ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ધારાસભ્યોએ આવા રાજકિય સ્ટંટમાં સમય વેડફવો જોઇએ નહિ પરંતુ લોકોના કામ કરવા પર ધ્યાન આપવું જોઇએ.
શું હતો સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના પડકારને જવાબ આપતાં કહ્યું હતું કે, ‘આવતા સોમવારે તમે આવો. તમે વિસાવદરથી રાજીનામું અને હું મોરબીથી રાજીનામું આપું. ચૂંટણી આવે એટલે આપણે બંનેએ સામસામે લડવાનું. અને જો હું હારું તો તમને 2 કરોડ આપીશ.
સમગ્ર ઘટના મામલે ઇસુદાન ગઢવીની સ્પષ્ટતા
આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે 'હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.





















