શોધખોળ કરો
દિગ્ગજ નેતા અહમદ પટેલની તેમના વતન પિરામણમાં કરાઈ દફનવિધિ, જુઓ વીડિયો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની કોરોના પ્રોટોકોલ સાથે તેમના વતન પિરામણ ખાતે દફનવિધિ કરવામાં આવી હતી. તેમની ઇચ્છા પ્રમાણે ભરૂચના પીરામણ સુન્ની વ્હોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાન ખાતે માતાની કબરની બાજુમાં દફનવિધિ કરવામાં આવી હતી. દફનવિધિમાં હાજરી આપવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, છત્તીસગઢના CM ભુપેશ બઘેલ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે 3.30 વાગે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. થોડાક દિવસો પહેલા તે કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના શરીરના કેટલાક અંગો કામ કરતા બંધ થઇ ગયા હતા.
ગુજરાત
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
આગળ જુઓ

















