India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
India vs Pakistan WCL Semi-Final: ભારત-પાકિસ્તાનની સેમી ફાઈનલ મેચ થઈ રદ્દ, જાણો શું છે કારણ?
31 જૂલાઈના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલ મેચ રદ કરવામાં આવી છે. WCL 2025ની આ સેમિફાઇનલ મેચ બર્મિંગહામમાં રમાવાની હતી, પરંતુ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ટીમ સાથે રમવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ મેચ રદ કરવામાં આવી છે. પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિમાં હોવાને કારણે પાકિસ્તાનને ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે, જે 2 ઓગસ્ટના રોજ બર્મિંગહામમાં રમાશે. ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે.
એશિયા કપ 2025નો કાર્યક્રમ જાહેર થયા પછી સમગ્ર ભારતમાં પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચનો વિરોધ થઈ રહ્યો છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે મેચ ન રમવી જોઈએ. WCL 2025ની સેમિફાઇનલ મેચ રદ થવાથી BCCI પર ક્યાંકને ક્યાંક દબાણ વધ્યું હશે. વર્તમાન શિડ્યૂલ મુજબ, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ 14 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે.





















