![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા ખરીદવાની ઓનલાઈન નોંધણી સમયમર્યાદાના બચ્યા છે થોડા જ દિવસો, આજે જ કરાવો નોંધણી
ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 છે.
![ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા ખરીદવાની ઓનલાઈન નોંધણી સમયમર્યાદાના બચ્યા છે થોડા જ દિવસો, આજે જ કરાવો નોંધણી Gujara government s last date near for registration of minimum support price for chana tur ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા ખરીદવાની ઓનલાઈન નોંધણી સમયમર્યાદાના બચ્યા છે થોડા જ દિવસો, આજે જ કરાવો નોંધણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/448349126cff61a3950fc9fa7fb4ba0e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત સરકાર ખેડૂતોના ફાયદા માટે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદતી હોય છે. ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકારની લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડો ખરીદવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 છે. જે ખેડૂતોએ હજુ સુધી આ પાક વેચવા માટે નોંધણી ન કરાવી હોય તેમને વહેલી તકે નોંધણી કરાવી લેવા અપીલ છે. આ માટે ખેડૂતો સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને નોંધણી કરાવી શકે છે.
ગુજકોમાસોલ મારફતે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટેની ઑનલાઇન નોંધણીની સમયમર્યાદા તા.૨૮/૦૨/૨૦૨૨ ના રોજ પૂર્ણ થાય છે.
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) February 22, 2022
શું આપે પણ ફરજિયાત ઑનલાઇન નોંધણી કરાવી લીધી ? pic.twitter.com/dM8qDjeovW
પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મલબખ ઉત્પાદન કરી લાખોમાં કમાણી કરે છે ડીસાનો આ ખેડૂત
ગુજરાતમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને મબલખ નફો કમાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા બટાકાની ખેતી માટે રાજ્યમાં પ્રખ્યાત છે. બટાકાના મલબલ ઉત્પાદનના કારણે અહીં કોલ્ડ સ્ટોરેજની સંખ્યા પણ મોટી માત્રામાં છે. બનાસકાંઠાના અનેક ખેડૂતોએ બટાકાના ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત બાબુજી ઠાકોર બટાકાની પ્રાકૃતિક ખેતી કરે છે.
બાબુજી ઠાકોર આજે પ્રાકૃતિક ખેતીથી બટાકાનું મબલખ ઉત્પાદન કરે છે અને લાખોમાં કમાણી કરે છે. વર્ષ 2016માં તેમણે બટાકાની પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતનું વર્ષ હોવાને કારણે અને પ્રાકૃતિક ખેતીનો બહુ અનુભવ ન હોવાને કારણે પ્રાકૃતિક ખેતીમાં બટાકાનું તેમનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સરખામણીએ થોડું ઘટી ગયું હતું. પરંતુ, ખૂબ મહેનતને અંતે આખરે તેમને સફળતા મળી અને રાસાયણિક ખેતી હેઠળ મળતા ઉત્પાદન કરતાં પણ વધુ ઉત્પાદન તેમને પ્રાકૃતિક ખેતી હેઠળ મળવા લાગ્યું. આજે બાબુજી ઠાકોર એકરદીઠ 500 થી 600 મણ બટાકાનું ઉત્પાદન મેળવે છે.
બાબુજી ઠાકોરના કહેવા પ્રમાણે , ‘પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાને કારણે મને મારા બટાકાના ભાવ પ્રમાણમાં ઘણા સારા મળે છે. રાસાયણિક બટાકા કિલોના રૂ.10 ના ભાવે વેચાય છે, જેની સામે હું મારા પ્રાકૃતિક ખેતીના બટાકા કિલોના રૂ.15ના ભાવે વેચું છું. આમ, મને કિલોએ રૂ.5 વધારે મળે છે. વર્ષ 2019-20માં મેં રૂ. 2.60 લાખના બટાકાનું વેચાણ કર્યું હતું.’
પ્રાકૃતિક ખેતી તરફ વળવાને કારણે તેમના ખર્ચમાં થયેલા ઘટાડાની વાત જણાવતા તેઓ કહે છે કે, રાસાયણિક પદ્ધતિથી હું જ્યારે ખેતી કરતો ત્યારે રૂ. 18 થી 20 હજારનો ખર્ચ તો મારે ખાતર લાવવામાં જ થઈ જતો હતો. પણ પ્રાકૃતિક ખેતીમાં આ ખર્ચનો પ્રશ્ન રહેતો જ નથી. ઉપરાંત, પાકમાં રોગચાળો લાગે તો તેના માટે દશપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવી દવાઓનો અમે છંટકાવ કરીએ છીએ અને આ દવાઓ અમે જાતે જ બનાવીએ છીએ. મહત્વની વાત એ છે કે બંને પદ્ધતિથી બટાકાનું ઉત્પાદન એકસરખું જ થાય છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બટાકાની ગુણવત્તા ઘણી સારી હોય છે, જેથી ભાવ સારો મળે છે. આમ, ખાતર અને દવાઓનો ખર્ચ ઘટે છે, અને ભાવ વધુ મળે છે, જેના પરિણામે અમને ખેડૂતોને ઘણો આર્થિક ફાયદો થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)