શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Gandhinagar: સરદાર સરોવર સહિત ગુજરાતના ૨૦૭ જળાશયોમાં ૮૮ ટકા એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ.

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો શિયાળુ પાક સારી રીતે લઈ શકે તે માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ અંગે  પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે. હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે, ૭.૮૫ લાખ MCFTથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે. 

વિસ્તારવાર જોઈએ તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે, તેમ પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. 

તો બીજી તરફ પાકની લણણી બાદ ખેડૂતોને સરળતાથી લોન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ 1,000 કરોડ રૂપિયાની લોન ગેરન્ટી યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટી (WDRA) દ્વારા નોંધાયેલ ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસિપ્ટ્સ (e-NWR) સામે ખેડૂતોને લોન આપવા માટે બેન્કોની અરૂચિને દૂર કરવાનો છે.

યોજનાની શરૂઆત કરતા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, અમે બેન્કોને લણણી પછીની લોન આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે  1,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. આનાથી ખેડૂતોની ધિરાણની પહોંચ સરળ બનશે અને તેમને વધુ નાણાકીય સહાય મળશે.

આ પણ વાંચો....

PM Kisan Yojana: ખેડૂતોના ખાતામાં આ દિવસે આવશે 2000 રૂ.નો હવે પછીનો હપ્તો, આ લોકોને નહીં મળે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget