Mukhyamantri Pak Sangrah Structure Yojana : વાવાઝોડા, માવઠામાં પણ ગુજરાતના ખેડૂતોનો નહીં બગડે પાક, રાજ્ય સરકારની આ યોજનાનો આજે જ ઉઠાવો લાભ
Mukhyamantri Pak Sangrah Structure Yojana : આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી.

Mukhyamantri Pak Sangrah Strucutre Yojana : ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ નાગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી.
ક્યારથી શરૂ થઈ છે યોજના
રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના 2021-21 થી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે મોટું નુકસાન થતું હોય છે, જેમાંથી બચાવવા રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે.
યોજનાનો શું છે લાભ
રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની જોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષિત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને યોગ્ય સમયે વેચાણ કરી શકશે, જેથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય અને જેના પરિણામે ખેતી વધુ નકાકારક બની શકે છે.
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના -
— Gujarat Agriculture, Farmer Welfare & Co-op. Dept. (@GujAgriDept) September 13, 2022
ખેડૂતના પોતાના ખેતરમાં ન્યૂનતમ 330 ચો.ફૂટ વિસ્તારમાં ગોડાઉન બનાવવા માટે રૂ.50,000ની સહાય એક જ તબક્કામાં.
શું છે ફાયદા:
✔કુદરતી આપદાથી પાકને બચાવી શકાય
✔કૃષિ ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે
✔પાકનો સંગ્રહ
✔યોગ્ય ભાવ મળે ત્યારે વેંચી શકાય. pic.twitter.com/vOCmhlXHg7
કેટલો મળે છે લાભ
ગુજરાત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે. આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં ન્યૂનતમ 330 ચો.ફૂટ વિસ્તારમાં ગોડાઉન બનાવવા માટે ગુજરાત સરકાર એક જ તબક્કામાં 50,000 રૂપિયાની સહાય આપે છે. જેથી ખેડૂતોએ તેમના ભાગે શેડમાં સાચવી શકે અને જ્યારે બજારમાં સારો એવો ભાવ આવે ત્યારે તે વેચી શકે.
પાક સંગ્રહ યોજનાની પાત્રતા તથા શરતો
- ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
- આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.




















