શોધખોળ કરો

PM Kisan Scheme: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, જાણો લાભાર્થીઓને શું થશે ફાયદો

PM Kisan News: ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી, તે મર્યાદા દૂર કરવામાં આવી છે.

PM Kisan Yojana KYC: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને નાના અને સીમાંત ખેડૂતો માટે કલ્યાણકારી પહેલ તરીકે જોવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દરેક ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાના 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે E-KYC ફરજિયાત છે. તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી. આવી સ્થિતિમાં જે ખેડૂતોએ આ કામ કર્યું છે તેમને 12મો હપ્તો મળી શકે છે.

આ ખેડૂતોના પૈસા અટકી શકે છે

તે જ સમયે, જે ખેડૂતોએ છેલ્લી તારીખ સુધીમાં ઇ-કેવાયસી કરાવ્યું નથી તેઓને 12મા હપ્તાનો પૈસો મળી શકે તેમ નથી. તેથી, હપ્તાનો લાભ લેવા માટે KYC કરાવવું ફરજિયાત છે.

શું આપી મોટી રાહત

PM કિસાન પોર્ટલ અનુસાર, OTP આધારિત e-KYC હવે ઉપલબ્ધ છે. પોર્ટલ પર લખેલું છે કે ખેડૂતો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે અને ઓટીપી આધારિત ઇ-કેવાયસી ઉપલબ્ધ છે. જ્યાં અગાઉ ઇ-કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2022 હતી, તે મર્યાદા દૂર કરવામાં આવી છે.

વેબસાઇટ અનુસાર, જે ખેડૂતો નોંધાયેલા છે, તેમણે ઇ-કેવાયસી કરાવવું જરૂરી છે અને બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરાવવા માટે નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.

12મો હપ્તો ક્યારે આવશે?

અત્યાર સુધીમાં, યોજના સાથે સંકળાયેલા લાભાર્થીઓને 11 હપ્તા મળ્યા છે, અને હવે દરેક 12મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12મા હપ્તાના પૈસા સપ્ટેમ્બર મહિનામાં કોઈપણ દિવસે આવી શકે છે.

ખેડૂતો બે રીતે કરી શકે છે ઈ-કેવાયસી

ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.

નોંધનીય છે કે જો ખેડૂત પોતે OTP દ્વારા e-KYC કરે છે, તો તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં, જ્યારે તમે કોમન સર્વિસ સેન્ટર પર જઈને e-KYC કરાવો છો, તો ખર્ચ કરવો પડશે.  

કોમન સર્વિસ સેન્ટર ખાતે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતની બાયોમેટ્રિક રીતે E-KYC કરવામાં આવશે. મતલબ કે આ પ્રક્રિયા ખેડૂતના ફિંગરપ્રિન્ટથી પૂર્ણ થાય છે. આ સાથે કોમન સર્વિસ સેન્ટરમાં લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડ અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબરની પણ જરૂર પડશે.

કોમન સર્વિસ સેન્ટર પર ઇ-કેવાયસી માટે 17 રૂપિયા (PM કિસાન ઇ-કેવાયસી ફી) લેવામાં આવે છે. આ ઉપરાંત, CSC ઓપરેટરો 10 થી 20 રૂપિયા સુધીનો સર્વિસ ચાર્જ પણ વસૂલે છે. આ રીતે, તમારે CSC તરફથી eKYC માટે 37 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.

પીએમ કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેની સત્તાવાર વેબસાઇટ gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના Home Page પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Searchદબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC  યોગ્ય રીતે કરવામાં આવે તે પછી, તમને એક સંદેશ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય, તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો ઇનવેલિડનો મેસેજ આવી રહ્યો હોય તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈપણ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારી લો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.  
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget