![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kisan Scheme: આ ખેડૂતોએ 11મો હપ્તો કરવો પડશે પરત, ચેક કરો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં
PM Kisan Scheme: આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. તાજેતરમાં, આ યોજનાનો 11મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
![PM Kisan Scheme: આ ખેડૂતોએ 11મો હપ્તો કરવો પડશે પરત, ચેક કરો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં PM Kisan Scheme: These farmers has to return 11th installment of PM Kisan scheme know how to check your name in list or not PM Kisan Scheme: આ ખેડૂતોએ 11મો હપ્તો કરવો પડશે પરત, ચેક કરો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/04/6bd576e270c71e33baf445f41e9f20da_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kisan Samman Nidhi: કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક PM કિસાન સન્માન નિધિ યોજના છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. તાજેતરમાં, આ યોજનાનો 11મો હપ્તો અને વર્ષનો બીજો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ, ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોજનાના પૈસા ઘણા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર નથી.
આવી સ્થિતિમાં સરકાર આવા ખેડૂતો પાસેથી તેના પૈસા વસૂલ કરવા જઈ રહી છે. આ કામ માટે સરકારે સોશિયલ ઓડિટ શરૂ કર્યું છે. તેના દ્વારા વહીવટીતંત્ર એવા લોકોની ઓળખ કરી રહ્યું છે જેઓ આ યોજના માટે પાત્ર નથી. તમે ઘરે બેઠા કેટલાક સરળ સ્ટેપ્સ દ્વારા પણ જાણી શકો છો કે તમને આ સ્કીમનો લાભ મળવો જોઈએ કે નહીં. તો ચાલો અમે તમને આ સ્કીમની યોગ્યતા તેમજ તે પગલાં વિશે જણાવીએ જેના દ્વારા તમે જાણી શકશો કે તમારે 11મા હપ્તાના પૈસા પરત કરવા પડશે કે નહીં.
માત્ર આ લોકોને મળશે લાભ
પીએમ કિસાન સન્માન નિધિ યોજના (Pradhanmantri Kisan Samman Nidhi Yojana) ગરીબ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. માત્ર સીમાંત અને ઓછી જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે. જો તમને 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે અને કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે, તો તે આ સ્કીમનો લાભ લઈ શકશે નહીં. આ સાથે એક પરિવારમાં માત્ર એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળશે.
આ રીતે ચેક કરો કે પૈસા પાછા આપવા પડશે કે નહીં
જે ખેડૂતોના ખાતામાં યોજનાના 11મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેઓ પીએમ કિસાન પોર્ટલની વેબસાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકે છે કે તેમણે પૈસા પરત કરવા પડશે કે નહીં. આ માટે સૌથી પહેલા તમારા પોર્ટલ પર જાઓ. આ પછી તમે ફાર્મર કોર્નરના વિકલ્પ પર ક્લિક કરો.
અહીં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો અને તમારો આધાર નંબર અને બેંક ખાતાની વિગતો ભરો. તે પછી તમારો મોબાઈલ નંબર નાખો. આ પછી, જો તમને You are not eligible for any refund amount મેસેજ જોવા મળે તો તમારે પૈસા પાછા આપવાના રહેશે નહીં. જો Refund Amount લખેલો મેસેજ જોવા મળે તો તમે આ સ્કીમનો લાભ લેવા માટે પાત્ર નથી અને તમારે પૈસા પરત કરવાના રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)