શોધખોળ કરો
અમદાવાદના 17 વ્યાપારીને ભેળસેળ માટે જેલ, જાણો શેમાં શેની ભેળસેળ કરતા હતા
1/5

તે સિવાય બજારમાં 200થી 250 રૂપિયે કિલો જે શુદ્ધ ઘી વેચવામાં આવે છે તેમાં 80 ટકા સુધી વનસ્પતિ ઘી અને હળદરની મિલાવટ હોય છે. મ્યુનિસિપલ લેબના ઇન્ચાર્જ સાયન્ટિસ્ટ અતુલ સોનીએ કહ્યું કે, ‘સસ્તુ લેવાની ઇચ્છાએ લોકો જે ઘી, તેલ, દૂધ લે છે તેમાં વેપારીઓ ભેળસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમે છે. આ પ્રકારની ચીજોથી લોકોને કેન્સર અને હૃદયની જીવલેણ બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
2/5

અધિકારીના કહેવા પ્રમાણે, કેરીના રસમાં પણ સિન્થેટિક કલરનો સખત ઉપયોગ થાય છે. કલરના ભેળસેળવાળો રસ પીવાના કારણે શરીરનું ચેતાતંત્ર નબળું પડી જાય છે. જેના કારણે વીટનેસ સખત આવી જાય છે. જે વેપારીઓને સજા કરવામાં આવી છે તે વેપારીઓની યાદી - બોમ્બે શરતબતવાલા, કાંકરિયા - ન્યૂ કૈલાસ ડેરી, બાપુનગર - શ્રી રત્નેશ્વરી દૂધ ઘર, નિકોલગામ - નિયતિ પ્રોડકટસ, નવા નરોડા - મહાલક્ષ્મી ડેરી પ્રોડકટસ, બાપુનગર - યુવરાજ જયુસ સેન્ટર, બાપુનગર - પ્રિન્સ કોર્નર, અમરાઈવાડી - ધારા ઓઈલ ડેપો, ઈસનપૂર રોડ - શ્રી રામદેવ પ્રોવિઝન સ્ટોર્સ, ઓઢવ - સૂરજ જયુસ સેન્ટર, નરોડા - અવની પ્રોવિઝન સ્ટોર, હાથીજણ - કર્ણાવતી પ્રોવિઝન સ્ટોર, વસ્ત્રાલ - રીસીરીચ સ્વીટ એન્ડ બેકરી, સરદારનગર - હરીઓમ ડેરી ફાર્મ, સરસપુર - ભવાની દૂધ ઘર, ચમનપુરા - કેરીનો રસનો મંડપ, ગાયત્રીનગર, ઓઢવ - નારાયણ દૂધ ઘર, કુબેરનગર
Published at : 09 Mar 2017 03:54 PM (IST)
View More





















